SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ 568 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. શું કરવું તેનું કેઈને ભાન રહ્યું નહીં. મદ્રાસ કન્સિલના સભાસદ એ આ પ્રસંગનું વર્ણન આપ્યું છે. મેકોલે કહે છે કે મદ્રાસમાં “કલકત્તેથી ખબર આવ્યા પછી ઉડતાળીસ કલાકની અંદર મદદ મેકલવાને ઠરાવ થયો.” આમ કહેવા માટે એની પાસે છે આધાર હતો તે કોણ જાણે. ખરું જોતાં કન્સિલમાં બે મહીના તકરાર તથા વિવેચન થયાં ત્યારે મદદ રવાના કરવાને નિશ્ચય થયો હતો. કલકત્તા હાથમાં આવવાથી નવાબ પુષ્કળ પુલાઈ ગયા હતા. વિજયના જોમમાં અગાડીને બંદેબસ્ત નહીં કરતાં પિતાના ઘમંડપણામાં બેફીકર રહ્યો. વહિવટની વ્યવસ્થા કરવાનું તેણે માણેકચંદને સોંપ્યું. છુટામાં અંગ્રેજો વહાણ ઉપર રહેતા હતા તેમને તેણે હાંકી મુક્યા નહીં, એટલે ત્યાંથી ભવિષ્યના સંગ્રામની તજવીજ તેઓ સહજ કરી શક્યા. આવા હીચકારા લેકેથી શું પરાક્રમ થવાનાં છે? એ ભારે દંડ આપી શરણે આવશે એમ તેઓ ધારતા હતા. “વરસાદ પુરે થતાંજ અમે સરસામાન લઈ મદ્રાસ ચાલ્યા જઈશું” એવી અફવા લેકમાં ચલાવી તૂર્તવેળા તેઓ ઉલ્ટામાં નિશ્ચિંત રહ્યા. કેન્યા અને વલંદા લેકે આ સઘળે તમારો સ્વસ્થપણે જોયા કરતા હતા, તેમને અંગ્રેજોને આમ નાસી જતા જોઈ આનંદજ થશે, કારણ એથી વેપારમાં તેમને એક પ્રતિસ્પધી બહાર બહાર નાશ પામે તેઓ માનતા. જુનની 14 મી તારીખે કલકત્તા છોડી નવાબ હુગલી ગયા. ત્યાં વલંદાઓ પાસેથી સાડાચાર લાખ તથા કેન્ય પાસેથી સાડા ત્રણ લાખ રૂપીઆ તેણે કિલ્લા બાંધવા માટેના દંડ તરીકે લીધા. આથી વિશેષ તેમને ત્રાસ આપવામાં તેમજ હાંકી કહાડવામાં તે રોકાયો નહીં. એ પછી તેણે વેટસ અને કેલેટને કેદમાંથી છુટા કીધા, અને પિતે તા. 11 મી જુલાઈએ મુર્શિદાબાદ આવી પહોંચે. અહીંથી આ સર્વ પરાક્રમની હકીકત તેણે બાદશાહને લખી મોકલી. " એટલામાં નવાબના સાવકાભાઈ સાક્તજંગે બંડ કર્યું. રાજમહાલ આગળ નવાબ અને તેની વચ્ચે લડાઈ થતાં સેંકતજંગ માય ગયે. (તા.
SR No.032728
Book TitleHindusthanno Arvachin Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorChampaklal Lalbhai Mehta
PublisherGujarat Varnacular Society
Publication Year1911
Total Pages722
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy