SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ્ય ભક્તિસૂત્ર ૩૧. ‘ જેનામાં કોઇ દોષ રહ્યા નથી અને સર્વ ગુણા વિદ્યમાન છે, તે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કે જિન ગમે તે નામથી ઓળખાતા હોય, તેમને મારા નમસ્કાર હા.’ તાત્પર્ય કે જેની ભક્તિ-ઉપાસના-આરાધના કરવામાં આવે તે દોષરહિત અને સર્વાંગુસ પન્નહાવા જોઈ એ. જૈન દૃષ્ટિએ અરિહંત અને સિદ્ધ પરમાત્મા એ એ જ આ પ્રકારની વ્યક્તિઓ છે, એટલે તેણે અરિહંત અને સિદ્ધ પરમાત્માના ઉપાસ્ય દેવ તરીકે સ્વીકાર કર્યાં છે અને તેમની ભક્તિ કરવામાં જીવનની સાર્થકતા માની છે. લોગસ્સસૂત્રમાં આ બન્નેની ભક્તિના નિર્દેશ થયેલા છે. કેટલાક એમ માને છે કે આ લેક, વિશ્વ, બ્રહ્માંડ, જગત્ કે દુનિયા ઈશ્વરની કૃતિ છે અને તેનું સંચાલન પણ તે જ કરે છે. વળી સમય આવ્યે તેને સંહાર પણ તેજ કરશે, માટે તેની એકની જ ઉપાસના કરવી જોઈ એ.’ પરંતુ જૈન તત્ત્વજ્ઞોએ તેની ઊંડી આલેચના કર્યાં પછી જાહેર કર્યું છે કે ‘આ માન્યતા સુધારવા જેવી છે, કારણકે છે આ લેાક અથવા વિશ્વ તે સ્વયંસ ંચાલિત તંત્ર છે. એટલે કે તે કોઈની રચના નથી કે કોઈ દ્વારા સંચાલિત નથી. વળી તેના સંહાર પણ શકય નથી, એટલે એક ઈશ્વરની વાત બાજુએ રાખી, જેમણે યુગે યુગે ધર્માંના પ્રકાશ કર્યાં છે અને એ રીતે માનવજાતિને ઉદ્ધાર કર્યાં છે, એવા અહુ તાની ઉપાસના કરવી, એ જ ઇષ્ટ છે. આ માન્યતાથી પ્રેરાઈને આ સૂત્રમાં ચાવીશ મહાન અર્હતા કે જેમણે
SR No.032711
Book TitleLogassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1979
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy