________________
પ્રથમ ગાથાને અર્થપ્રકાશ-૫
૧૮૭* દીર્તયિષ્યામિ કર્યું છે, તે કેટલાક ટીકાકારે એ વિષે - કર્યું છે. તેમાં આ રૂપ ઠીક કે તે રૂપ ઠીક, એ ચર્ચાને સ્થાન નથી, કારણ કે આ બંને રૂપે સંસ્કૃતભાષાને માન્ય છે. ઉત્તરારં પદને સામાન્ય અર્થ “હું કીર્તન કરીશ.” એવે , થાય છે, પણ કીર્તન શબ્દથી અહીં શું સમજવું ? તે . વિચારણીય છે.
કી ધાતુ પ્રશંસાને અર્થ દર્શાવે છે, એટલે કીર્ત. નને અર્થ પ્રશંસા, ગુણાનુવાદ કે સ્તવન થાય છે. પરંતુ અહીં તેને અર્થ “સ્મરણ–વંદનપૂર્વકનું સ્તવન * * સમજવાને છે.
અહીં એક પાઠકમિત્ર પશ્ન કરે છે કે “કીર્તનને અર્થ છે નામપૂર્વકનું સ્તવન કરીએ તે કંઈ હરકત ખરી ? તેને
ઉત્તર એ છે કે “જે આ અર્થને સ્વીકાર કરીએ તે સૂત્રની બીજી, ત્રીજી અને એથી ગાથા કીર્તનમાં આવે, પણ પાંચમી. છઠ્ઠી તથા સાતમી ગાથા તેની બહાર રહી જાય, જે કીર્તનનો એક અગત્યને ભાગ છે, એટલે આ અર્થ અધૂર હોઈ તેને સ્વીકાર થઈ શકે નહિ.”
પ્રથમ જિનોને–તીર્થકરેને નામ સમરણપૂર્વક વંદના કરવી અને પછી તેમને ગુણાનુવાદ કર કે તેમનું સ્તવન, કરવું, એ પરંપરા જેન ધર્મમાં ઘણા પ્રાચીનકાળથી ચાલી આવે છે, એ જોતાં કીર્તન શબ્દને આ વિશેષાર્થ પૂરેપૂરે સંગત છે. અન્ય સંપ્રદાયે પણ ભગવાનનું ભજન-કીર્તન.