SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ જગતના ઇતિહાસનુ” રેખાદર્શન ૧૯૨૫ની સાલમાં તુર્કીના ખુ પ્રદેશમાં ભારે ખળવા ફાટી નીકળ્યા. માસલને પ્રશ્ન તુર્કી તથા ઈંગ્લંડ વચ્ચે ધણુ પેદા કરી રહ્યો હતો તે જ વખતે એ બળવા ફાટી નીકળ્યો હતા. વળી ખુદ માસલ પણ ખુદ પ્રદેશ હતા અને તે તુર્કીના એ બળવાવાળા ભાગની લગોલગ આવેલા હતા. તુર્થાં સ્વાભાવિક રીતે જ એવા અનુમાન ઉપર આવ્યા કે, એ બળવા પાછળ ઈંગ્લેંડના હાથ હતા અને વધારે ધાર્મિક ઝનૂનવાળા ખુદ્દેને અંગ્રેજ એજ ટાએ કમાલ પાશાના સુધારાઓ સામે ઉશ્કેર્યાં હતા. તુર્કીમાં એ વખતે ખુર્દ લોકાને અ ંગે મુશ્કેલી પેદા થાય એ બ્રિટિશ સરકારને મન ભાવતી વાત હતી એ દેખીતું છે. પરંતુ એ બળવામાં અંગ્રેજોના હાથ હતા કે કેમ તે કહી શકાય એમ નથી, પરંતુ એ વસ્તુ સ્પષ્ટ છે કે એ બળવામાં ધાર્મિક રૂઢિચુસ્તતાએ ઠીક ઠીક ભાગ ભજવ્યા હતા. વળી ખુર્દ લોકાની રાષ્ટ્રીય ભાવનાએ પણ એમાં સારી પેઠે ફાળા આપ્યા હતા એ પણ એટલું જ સ્પષ્ટ છે. ધણુંકરીને રાષ્ટ્રીયતાના ફાળા એમાં સૌથી વિશેષ હતા. ૧૧૧૬ કમાલ પાશાએ તરત જ એવા પોકાર ઉઠાવ્યો કે તુ રાષ્ટ્ર જોખમમાં આવી પડયુ છે અને ખુદૅની પાછળ ઇંગ્લેંડનું પીઠબળ છે. રાષ્ટ્રીય ધારાસભા પાસે તેણે એવા કાયદો કરાવ્યા કે વાણીયા લેખન દ્વારા ધર્માંનો જનતાની લાગણી ઉશ્કેરવામાં ઉપયાગ કરવા એ ગંભીર પ્રકારને રાજદ્રોહ ગણાશે અને એવા ગુના કરનારાઓને આકરામાં આકરી શિક્ષા કરવામાં આવશે. મસ્જિદમાં, પ્રજાસત્તાક પ્રત્યેની વફાદારી ડગાવે એવા પ્રકારના ધાર્મિક ઉપદેશ આપવાની પણ મનાઈ કરવામાં આવી. પછીથી તેણે ખુદ લેકને નિર્દય રીતે કચરી નાખ્યા અને ખુર્દ આગેવાના ઉપર એક સાથે હજારાની સખ્યામાં કામ ચલાવવા માટે ખાસ અદાલતો નીમી. એ અદાલતેને સ્વતંત્રતાની અદાલતા ’કહેવામાં આવતી હતી. શેખ સૈયદ તથા ડૉકટર ફુઆદ અને બીજા અનેક ખુર્દ આગેવાને ને મેાતની શિક્ષા કરમાવવામાં આવી. ખુદી સ્તાનની આઝાદીનું રટણ કરતા કરતા તેઓ માતને ભેટયા. આમ જે તુર્કી થેાડા જ વખત ઉપર પોતાની સ્વતંત્રતા માટે લડતા હતા તેમણે જ પોતાની સ્વતંત્રતા માગનાર ખુલાકાને કચરી નાખ્યા. રક્ષણાત્મક રાષ્ટ્રવાદ ઉગ્ર અથવા આક્રમણકારી રાષ્ટ્રવાદમાં ફેરવાઈ જાય છે તથા સ્વાતંત્ર્ય માટેની લડત ખીજા ઉપર આધિપત્ય જમાવવાની લડત ખની જાય છે એ ખરેખર એક વિચિત્ર ઘટના છે. ૧૯૨૯ની સાલમાં ખુર્દ લેકાના ખીજો બળવા થવા પામ્યા અને ફરીથી તેને કચરી નાખવામાં આવ્યે અથવા સાચું કહેતાં તે વખત પૂરતા કચરી નાખવામાં આવ્યા. પરંતુ સ્વતંત્રતાના માગ્રહ રાખનાર અને તે માટેનું મૂલ્ય ચૂકવવાને આતુર પ્રજાને કાઈ પણ માણસ હંમેશને માટે કેવી રીતે ચરી શકવાના હતા ?
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy