SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન કારણે ખેતી પણ આબાદ ન થઈ. આમ ઉત્તર આયર્લેન્ડ ઉદ્યોગપ્રધાન થયું જ્યારે દક્ષિણ અને પૂર્વ તથા ખાસ કરીને પશ્ચિમ આયર્લેન્ડ ઔદ્યોગિક ક્ષેત્રમાં પછાત અને મધ્યકાલીન રહ્યું. એકટ ઑફ યુનિયન’ ના વિરોધમાં પણ બંડ થયા વિના ન જ રહ્યું. એ બંને નેતા ૉબર્ટ ઍમેટ હતું. તે એક તેજસ્વી યુવાન હતો અને આગળના પિતાના અનેક દેશબંધુઓની પેઠે તેણે પણ ફાંસીના માંચડા ઉપર પિતાના જીવનને અંત આણે. આયરિશ સભ્યો ઈંગ્લંડની આમની સભામાં ગયા. પરંતુ કેથલિક લેકેનું તેમાં પ્રતિનિધિત્વ નહોતું. ઇંગ્લંડમાં તેમ જ આયર્લેન્ડમાં કેથલિકને પાર્લામેન્ટમાં જવા દેવામાં આવતા નહોતા. ૧૮૨૯ની સાલમાં આ બંધને દૂર કરવામાં આવ્યાં અને કૅથલિકને ઈંગ્લંડની પાર્લામેન્ટમાં બેસવાની છૂટ મળી. આયરિશ નેતા ડેનિયલ કેનેલ આ બાધાઓ દૂર કરવામાં ફત્તેહમંદ થયો અને એથી તેને “લિબરેટર” (મુક્તિદાતા) તરીકે ઓળખવામાં આવે છે. ધીમે ધીમે બીજો એક ફેરફાર પણ થયે. મતાધિકાર વિસ્તૃત કરવામાં આવ્યું અને વધારે લેકીને મત આપવાને હક મળ્યો. આયર્લેન્ડનું પણ ઇંગ્લેંડ સાથે જોડાણ થયું હતું એટલે બંનેને એક જ કાયદા લાગુ પડતા હતા. આ રીતે ૧૮૭૨નું મહાન રિફોર્મ બિલ (સુધારાને કાયદે) ઇંગ્લંડને તેમ જ આયર્લેન્ડને પણ લાગુ પાડવામાં આવ્યું હતું. એ જ રીતે એ પછી થયેલે મતાધિકારને કાયદે પણ તેને લાગુ પડ્યો. આમ ઇંગ્લંડની આમની સભાના આયર્લેન્ડના સભ્યોનો પ્રકાર બદલાવા લાગે. પહેલાં તેઓ જમીનદારના પ્રતિનિધિઓ હતા તેને બદલ હવે તેઓ કેથલિક ખેડૂતવર્ગના અને આયરિશ રાષ્ટ્રીયતાના હિમાયતી બન્યા. જમીનદારના પંજામાં સપડાયેલા તથા જેમની પાસેથી ભારે ગણત પડાવવામાં આવતી હતી એવા આયર્લેન્ડના ગણોતિયા ખેડૂતેએ અતિશય ગરીબીને કારણે બટાટાને પિતાના ખોરાકની મુખ્ય વસ્તુ બનાવી હતી. બટાટા ઉપર જ તેઓ જીવતા અને આજના હિંદના ખેડૂતની પેઠે તેમની પાસે કશે સંધરે નહેતો – જે આશરે લઈ શકાય એવું કશુંયે તેમની પાસે નહોતું. પેટે પાટા બાંધીને જેમ તેમ તેઓ પિતાનું જીવન ટકાવી રાખતા. અને તેમનામાં નભી રહેવાની લગારે શક્તિ રહી નહોતી. ૧૮૪૬ની સાલમાં બટાટાનો પાક નિષ્ફળ નીવડ્યો અને એને પરિણામે ત્યાં ભારે દુકાળ પડ્યો. આવા દુકાળના સમયમાં પણ, ગણોત ન આપવાને કારણે, જમીનદારોએ તેમના ગણોતિયાઓને જમીન ઉપરથી હાંકી કાઢ્યા. સંખ્યાબંધ આયરિશ લેકે પિતાનાં ઘરબાર છોડીને અમેરિકા કે બીજા દેશમાં ચાલ્યા ગયા અને આયર્લેન્ડની વસતી બહુ જ ઘટી ગઈ તેનાં ઘણાં ખેતરે “ખેડનારને અભાવે પડતર પડી રહ્યાં અને બીડના રૂપમાં ફેરવાઈ ગયાં.
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy