________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન જણાશે કે, દેશ યા સમાજનું રાજતંત્ર કેવી રીતે ઘડવું કે જેથી કરીને સર્વત્ર આબાદી અને સુખ થાય એ વિષે લેકે તે કાળમાં પણ વિચાર કરતા હતા.
ઑટે વૃદ્ધ થયું ત્યારે બીજો એક મશહૂર ગ્રીસવાસી આગળ આવ્યું. તેનું નામ એરિસ્ટોટલ હતું. તે મહાન સિકંદરને શિક્ષક હતે. અને સિકંદરે તેને તેના કાર્યમાં ઘણી સહાય કરી હતી. સોક્રેટીસ અને પ્લેટની જેમ એરિસ્ટોટલને આધ્યાત્મિક પ્રશ્નોમાં બહુ રસ નહોતો. તેને તે પ્રકૃતિનું નિરીક્ષણ કરવામાં અને તેના નિયમે સમજવામાં વધારે રસ હતે. એને લૈતિક તત્ત્વજ્ઞાન કહેવામાં આવે છે. પણ આજે ઘણુંખરું એને વિજ્ઞાનને નામે ઓળખવામાં આવે છે. આ રીતે એરિસ્ટોટલ એક આદિ વિજ્ઞાનશાસ્ત્રી હતા.
હવે આપણે એરિસ્ટોટલના શિષ્ય મહાન સિકંદર તરફ જવું જોઈએ અને તેની વેગીલી કારકિર્દીનું અવલોકન કરવું જોઈએ. પણ એ વિષે આવતી કાલે વિચાર કરીશું. આજને માટે તે મેં બહુ લખી નાખ્યું.
આજે તે વસંતપંચમી એટલે વસંતના આગમનને દિવસ છે. શિયાળાની રોચક પણ ટૂંકી ઋતુ વીતી ગઈ છે અને હવાની ચમક પણ ઓછી થઈ છે. હવે વધુ ને વધુ પ્રમાણમાં પક્ષીઓ અમારી પાસે આવવા માંડ્યાં છે અને આ દિવસ તેમનાં ગીત ગુંજ્યા કરે છે. અને આજથી બરાબર પંદર વરસ પહેલાં આ જ દિવસે તારી મા સાથે મારાં લગ્ન થયાં હતાં!