SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ સગ ૫ મો ગુપ્ત રીતે શસ્ત્રો દાટેલાં છે, આપ જાતે જોઈને ખાત્રી કરો.” રાજાએ પાલકના કહેવા ઉપરથી મુનિઓના સ્થાન નીચે ખોદાવ્યું, એટલે ત્યાં વિચિત્ર જાતિનાં શસ્ત્રોને દાટેલાં જોયાં, તેથી તે ઘણે ખેદ પામે. પછી દંડકે વિચાર કર્યા વગર પાલકને આજ્ઞા કરી કે “હે મંત્રી ! તમે આ બહુ સારું જાણું લીધું; કેમકે હું તે તમારાથી જ નેત્રવાળે છું. હવે આ દુર્મતિ &દકને જે ગ્ય શિક્ષા હોય તે તમે કરે; કારણ કે તમે તે જાણો છો. હે મહામતિ ! હવે ફરીવાર મને તે વિષે પૂછવું નહિ.” આ પ્રમાણે આજ્ઞા મળતાં જ પાલકે શીધ્ર જઈને મનુષ્યને પીલવાનું એક યંત્ર કરાવ્યું અને તે ઉદ્યાનમાં લાવીને તેમાં સ્કંદકની આગળ એક એક સાધુને પીલવા માંડયા. દરેક મુનિને પીલાતી વખતે અંદાચાર્યો દેશના પૂર્વક સમ્યક્ પ્રકારે આરાધના કરાવી. જ્યારે સર્વ પરિવારમાં છેલ્લા રહેલા એક બાળમુનિને યંત્રની પાસે લાવવામાં આવ્યા, ત્યારે અંદકાચાએ બહુ કરૂણું આવવાથી પાલકને કહ્યું કે-“પ્રથમ મને પીલ. આ મારૂં વચન માન્ય કર, કે જેથી એ બાળમુનિને પીલતાં હું ન જોઉં.” તે બાળમુનિને પીડા કરવાથી સ્કંદવધારે પીડાશે એમ જાણું પાલકે તેમને પીડા કરવાને માટે જ તેમનું વચન ન માનતાં પ્રથમ તેમની નજરે તે બાળમુનિને પીલી નાખ્યા. સર્વ મુનિએ કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને અવ્યયપદને પામ્યા. સ્કંદક મુનિએ અંતિમ પચ્ચખાણ લઈ એવું નિયાણું કર્યું કે જે આ તપસ્યાનું ફળ હોય તો હું આ દંડક તથા પાલક તેમજ તેના કુળ અને દેશને નાશ કરનારે થાઉં.' આવું નિયાણું બાંધતા એ અંદાચાર્યને પાલકે પીલી નાંખ્યા. ત્યાંથી કાળ કરીને તેમને ક્ષય કરવાને માટે તે કાલાગ્નિની જેમ વનિકુમાર નિકાયમાં દેવતા થયા. પુરંદર,શાએ આપેલું રત્નકંબલના તંતુથી બનાવેલું સ્કંદકીચાર્યનું રજોહરણ કે જે રૂધિરથી વ્યાપ્ત થયેલું હતું તેને એક પક્ષિણી હરી ગઈ, તેને ભુજાદંડધારીને યરનથી ગ્રહણ કર્યું હતું, પરંતુ દેવગે તે છટકી જવાથી દેવી પુરંદરયશાની આગળ જ પડયું. તે જોઈને તેની તપાસ કરતાં પિતાના મહર્ષિભાઇનું યંત્રમાં પીલાવાથી થયેલું મરણ તેના જાણવામાં આવ્યું. તેથી “અરે પાપી ! તેં આ શું પાપ કર્યું ?” એમ તે પિતાના પતિ દંડકરાજાની ઉપર આક્રોશ કરવા લાગી; તે જ વખતે તે શેકમગ્ન પુરંદરયશાને ઉપાડીને શાસનદેવીએ મુનિસુવ્રત પ્રભુની પાસે મૂકી. ત્યાં તેણે તરત જ તેમની પાસે દીક્ષા લીધી. અગ્નિકુમાર થયેલા સ્કંદકના જીવે અવધિજ્ઞાનથી પિતાના પૂર્વજન્મને વૃત્તાંત જાણું પાલક અને નગરજન સહિત દંડક રાજાને ભમ કરી દીધું. ત્યારથી આ દારૂણ અને ઉજજડ એવું દંડકારણ્ય થયેલું છે, અને તે દંડકના નામથી જ પૃથ્વીમાં પ્રખ્યાત છે. દંડકરાજા સંસારના કારણરૂપ અનેક નિઓમાં પરિભ્રમણ કરી પિતાના પાપ કર્મથી આ ગંધ નામને મહારગી પક્ષી થયો છે. અમારા દર્શનથી તેને જાતિસ્મરણજ્ઞાન થયું, અને અમને પ્રાપ્ત થયેલી સ્પષધિ લબ્ધિના પ્રભાવથી તેના બધા રોગો ક્ષય પામી ગયા. આ પ્રમાણેનું પિતાના પૂર્વભવનું વૃત્તાંત સાંભળીને પક્ષી ફરીવાર પણ ઘણે ખુશી થઈને મુનિના ચરણમાં પડયો, અને ધર્મ સાંભળીને તેણે શ્રાવકપણું સ્વીકાર્યું. મહામુનિએ તેની ઈચ્છા જાણીને તેને જીવઘાત, માંસાહાર અને રાત્રિભેજનનાં પચ્ચખાણ કરાવ્યાં. પછી
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy