SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ સર્ગ ૫ મે - ણમાળાએ કહ્યું કે “મેટી મહેરબાની” પછી તેણે પાછો પુરૂષવેષ ધારણ કર્યો. પછી સુબુદ્ધિ મંત્રી બોલ્યો-“આ કલ્યાણમાળાના પતિ લક્ષમણ થાઓ.” રામે કહ્યું- અત્યારે પિતાના આદેશથી અમે દેશાંતરમાં જઈએ છીએ; તેથી જ્યારે પાછા આવશું ત્યારે લક્ષમણ તેને પરણશે. આ પ્રમાણે કબુલ કરી રામ ત્રણ દિવસ ત્યાં રહ્યા પછી પાછલી રાત્રિએ જ્યારે સર્વે જનો નિદ્રામાં હતા, ત્યારે સીતા અને લક્ષમણ સહિત રામચંદ્ર ત્યાંથી ચાલી નીકળ્યા. પ્રાત:કાળે રામ, સીતા અને લક્ષ્મણને જોયા નહીં, એટલે કલ્યાણમાળા કચવાતે મને પિતાના નગરમાં ગઈ, અને પ્રથમની જેમ રાજ્ય કરવા લાગી. અનુક્રમે રામ નર્મદા નદી પાસે આવ્યા, અને તે ઉતરીને વટેમાર્ગુઓએ વાર્યા તે પણ વિધ્યાટવીમાં પેઠા. ત્યાં દક્ષિણ દિશામાં એક કંટકીના વૃક્ષ ઉપર રહેલા પક્ષીઓ વિરસ શબ્દ કર્યા અને ક્ષીરના વૃક્ષ ઉપર રહેલા એક બીજા પક્ષીએ મધુર શબ્દ કર્યા, પરંતુ તે સાંભળીને રામને હર્ષ કે શોક કાંઈ થયો નહિ. કારણકે શકુન કે અપશકુનને દુર્બળ લોકેજ ગણે છે, આગળ ચાલતાં ઊંચા હથીયારવાળું, અસંખ્ય હાથી, રથ અને અશ્વોથી ભરપૂર પ્લેચ્છ લોકેનું સૈન્ય દેશનો ઘાત કરવાને માટે નીકળેલું તેમના જોવામાં આવ્યું. તે સૈન્યમાં રહેલો યુવાન સેનાપતિ સીતાને જોઈને કામાતુર થઈ ગયે; તેથી એ સ્વછંદચારીએ તત્કાળ પિતાના તાબાને ઑરછોને ઊંચે સ્વરે આજ્ઞા કરી કે- અરે આ બન્ને પથિકને હાંકી કાઢીને અથવા મારી નાંખીને આ સુંદર સ્ત્રીને લઈ આવો.” આજ્ઞા થતાંજ તેઓ સેનાપતિ સહિત બાણ અને પ્રાસ વિગેરે તીક્ષ્ણ આયુધોથી પ્રહાર કરતાં રામ ઉપર ડી આવ્યા. તે વખતે લક્ષ્મણે રામચંદ્રને કહ્યું- આય ! જ્યાં સુધી શ્વાનની જેમ આ મ્લેચ્છોને હું હાંકી કાઢું ત્યાં સુધી તમે સીતા સાથે અહીં જ રહો. આ પ્રમાણે કહી લક્ષ્મણે ધનુષ્ય ચડાવીને તેને નાદ કર્યો. તે નાદમાત્રથી જ સિંહનાદથી હસ્તીઓની જેમ પ્લેચ્છો ત્રાસ પામી ગયા. જેના ધનુષ્યનો નાદ આવે અસહ્ય છે તેના બાણને સહન કરવાની તે વાત જ શી કરવી ?” એમ વિચારતો પ્લેચ્છરાજા તત્કાળ રામની પાસે આવ્ય, શો છોડી દઈ રથમાંથી ઊતરીને તેણે દીનમુખે રામભદ્રને નમસ્કાર કર્યો. તે વખતે લક્ષ્મણે ક્રોધથી તેની સામું જોયું. àછપતિ બોલ્યો-“હે દેવ ! કૌશાંબીપુરીમાં વીધાનર નામે એક બ્રાહ્મણ રહે છે. તેને સાવિત્રી નામે પત્ની છે. તેમને રૂદ્રદેવ નામે હું પુત્ર છું. હું જન્મથી જ કૂર કર્મ કરનારે, ચાર અને પરસ્ત્રીલંપટ થયો છું. કોઈ એવું કુકર્મ નથી કે જે મેં પાપીએ નહિ કર્ય હોય ! એક વખતે ખાત્ર પાડતાં ખાત્રમુખેજ રાજપુરૂષે એ મને પકડ્યો, અને રાજાની આજ્ઞાથી મને શૂલી પર ચડાવવા લઈ ચાલ્યા. કસાઈના ઘરમાં રહેલા ઘેટાંની જેમ શૈલીની પાસે દીન થઈને ઊભા ૨ ડેલા મને એક શ્રાવક વણિકે દીઠે, તેથી તેણે દંડ આપીને મને છોડાવ્યો. “હવે ફરીવાર ચોરી કરીશ નહીં” એમ કહી એ મહાતમા વણિકે મને વિદાય કર્યો, અને ત્યારથી મેં તે દેશનો ત્યાગ કર્યો. અનુક્રમે ભમતો ભમતે હું આ પલ્લીમાં આવી ચડ્યો, અને કાક એવા નામથી વિખ્યાત થઈ પલ્લીપતિના પદને પામ્યા. અહીં રહીને લુંટારાઓની મદદથી હું મોટા શહેર વિગેરેને લૂંટું છું, અને સ્વયમેવ જઈ રાજાએને પણ પકડી લાવું છું. હે સ્વામી ! આજે વ્યંતરની જેમ હું તમારે વશ થયે છું; માટે મને આજ્ઞા આપે કે તમારે કિંકર હું તમારું શું કામ કરું ? મારા અવિ ક્ષમા કરો.” રામે તે કિરાતપતિને કહ્યું કે “વાલિખિલ્ય રાજાને છોડી દે.” તત્કાળ તેણે વાલિખિલ્યને છેડી દીધે, એટલે તેણે આવીને રામને પ્રણામ કર્યો. રામની આજ્ઞાથી તે
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy