SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ શમન જગતના ઉપસ'હાર અને યુરાપના જન્મ પ રીતે અહીં મોત પામ્યાં હતાં. યુરોપની ધરતી સંસ્કારના આ પ્રથમ દિવા પેટાવીને વિશ્વતિહાસમાં ધન્ય બની હતી. હવે ઇ. સતા ચોથા સાકા પુરા થયા ત્યારે રામન સામ્રાજ્યનું રૂપ ઈસુના પહેલા ચાર સૈકામાં ઈટાલી પરથી લગભગ લય પામી જતું હતું. ઈટાલીનું એવું રાષ્ટ્રરૂપ પણ સામ્રાજ્ય ભેગું વેરવિખેર થઇ જતું હતું. અત્યારે ઉદય પામતા યુરોપ ખંડ પર ઇટાલી એટલે થોડાંક નગરોનાજ પ્રદેશ બની ગયેલા દેખાતા હતા. એક વખતે ગ્રીસ દેશનું સ્વરૂપ જેવું છૂટા જ્વાયેલાં અને પતન પામેલાં નગરાનું બની ગયું હતું તેવું સ્વરૂપ આજે મિલાન, વેનિસ, ફલોરેન્સ અને શમનગરાવાળા ઈટાલીના પ્રદેશનું દેખાતું હતું. રામન સામ્રાજ્યના ભંગાર જેવાં આ નગરા પરસ્પર સાથે પણ એકતા અનુભવતાં નહેતાં. આ સમયનાં આ નગરાનાં નાગરિકાનાં જીવન જૂની પૂરાણી જાગીરા પર બંધાયેલી વડીઆમાં ગેાંધાઇ ગયાં હતાં, અને આ જીવતરને વ્યવસાય ગુલામ જેવા ખેડૂતાના શ્રમની પેદાશને પચાવ્યા કરવાના હતા. આ નાગરિકાની અંદરઅંદર યુદ્ધ કરવાની તાકાત પણ હવે ખતમ થઇ ગઇ હતી. ત્યારે ઈટાલીની રામન શહેનશાહત પર લશ્કરવાદે કાથુ જમાગ્યેા હતા તથા આ લશ્કરવાદના ચાર વિભાગ ચાર આગેવાનેાવાળા હતા. લશ્કરવાદના ચારે વિભાગાએ ચાર જુદા જુદા શહેનશાહને ગાદીનશન કરવાની યેાજના રજી કરી. લેાકશાહીનાં નામનિશાન જીવનની બધી સંસ્થાએમાંથી શમી જવા લાગ્યાં. અતિ વિશાળ એવી સામ્રાજ્યની સરહદોનાં તૂટી પડતાં કાટડાંની મરામત કરવાની તાકાત પણ રામન શહેનશાહતે ગુમાવવા માંડી. ડાન્યુબ અને રાહઈન વચ્ચેની કિલ્લેબંધી તૂટવા માંડી, રામનગરનું રાજકીય મહત્ત્વ કાઇપણ પ્રાંતીય નગર જેવું બન્યું. આ મહાનગરમાં ગાવાયેલી શહેનશાહતના, પોતાની હસ્તીના એકેએક આવિર્ભાવ મારફત નિષેધ કરતા, અને કાઈપણ શહેનશાહની ગાદી આગળ ધૂપ ધરવાનો ઈન્કાર કરતા માનવધર્મ, ઇસાઈ ધર્મનું નામ ધારણ કરીને રામન જીવનમા ઉતરવા માંડયેા. આવી રામન શહેનશાહતા આ પશ્ચિમી વિભાગ અંદર અંદર લડતા લશ્કરવાદના પાદાધાત નીચેથી પૂર્વમાં જઈને પગભર બનવાને અને જીવતા રહેવાના પ્રયત્ન કરવા લાગ્યા. મધ્યયુગ પર પહોંચનારા અંકોડા કોનસ્ટેન્ટિનોપલ પશ્ચિમમાં મરણ પામતી રામનશાહી પૂર્વમાં કેાનસ્ટેન્ટિનેપલમાં પગ ગાઠવવા માંડી. પૂના આ પ્રદેશની ખેાસર્ફરસની સામુદ્રધુનિ યુરાપ અને એશિયાટિક તુર્કસ્તાનને જુદા પાડે છે. તુર્કસ્તાનનું એક ઇસ્તંબુલ નગર પ્રાચીન જમાનાનું
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy