SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ પપ એમના ગ્રંથા ન્હાના મ્હોટા મળીને આશરે ચાળીસેક થવા જાય છે અને તેની નામાવળી પરથી જોઈ શકાશે કે ફરી વળી હતી અને જનસુધારણા, કેળવણી, ધ મંતવ્ય શું હતું. એમની બુદ્ધિ કયા કયા ક્ષેત્રમાં નીતિ. સાહિત્ય વિષે એમનું આવા નીતિપરાયણું, કર્તવ્યનિષ્ટ, સતેાષી અને એકમાર્ગી સાધુપુરુષ, સન ૧૮૬૫ માં દેશમાં શેરમેનિયાના વા વાયે! ત્યારે તેના ભાગ થઇ પડયા, એ મનુષ્યસ્વભાવની નળાનું દર્શન કરાવે છે; પણ એમને જે કડવા અનુભવ થયો, તેના પરિણામ કે પ્રાયશ્ચિત્તરૂપે એમણે જે થાડી ઘણી હકીકત આપી છે, તે અન્યને મેધરૂપ અને માર્ગદર્શક થાય એવી છે. એ સમયનું વર્ણન કરતાં તેએ લખે છે: ‹ સન ૧૮૬૫ ની સાલમાં એક અને કંપનીએ ઘણી જાગી. તેવામાં અમદાવાદની યુનિવર્સલ કંપનીવાળાએ મને કહ્યું કેહાલ તમને રૂા. ૭૫ મળે છે પણ અમારી કંપનીમાં આવે! તે દર મહીને શ. ૧૫૦ ના પગાર આપીશું. તેથી મારૂ મન લલચાયું, અને તે વાત મે ફારસ સાહેબને લખી જણાવી. તેને ઉત્તર તેમણે લખ્યા ક-ગુ. વ. સેસાઇટી વગેરે મારાં સ્થાપેલાં અથવા મારા નામનાં કારખાનાં હોય, તેમાં જ તમારે હમેશાં નોકરી કરવી, કેમકે તેથી હું ખુરા થઇશ. અને કંપનીએ જે નવી ઉભી થઈ છે, તેને એ વ જવાદો, પછી તેની સ્થિતિ કેવી છે તે જોઇને તેમાં પડવાની મરજી હોય તે પડજો. તે પત્ર વાંચીને મારું મન યું. ખરૂં, તે પણ ઘણાએક સરકારી નોકરો મેટા હાદાની નોકરી મુકીને કંપનીઓમાં પડવા લાગ્યા અને મને કેટલાએક લાકે કહેવા લાગ્યા કે, શું તમારે કાષ્ઠની વગ નથી ? જે મેટા પગારની જગા મેળવતા નથી ? એવા શબ્દો સાંભળીને વળી મન ડગ્યું. તેથી સાસાટીમાંથી રજા મળવાને રીપોર્ટ કર્યો. મેહેરબાન કરટીસ સાહેબની રજા આપવાની મસ્જી નહોતી તેથી એક મહિના સુધી રજા આપી નંદુ છેવટ ઘણા આગ્રહથી મે' રજા લીધી. અને બીજી સાબત થવાથી શેરના વેપારના ઊંડા ખાડામાં ધશી પડયા. છેવટ છેક દુર્દશા આવી અને ઘણું! ગભરાટ ઉપજ્યો, યુનીવરસલ કંપની પણ ભાગી પડી અને એક દિશા મુજે નહિ એવું થયું.”× તે પછી શેર બજારનું પદ રચ્યું હતુ, તેને રણકાર કલદાર રૂપિયાની જેમ શેરબજારના જે કોઇએ સહેજસાજ પણ પરિચય કર્યો છે તેના કાનમાં ગુજશે. લાગણીપૂર્ણાંક ખિન્ન હૃદયે તેઓ ગાય છેઃ ૐ બુદ્ધિપ્રકાશ, સન ૧૮૬૬, પૃ. ૨૧૫-૨૧૬
SR No.032695
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1932
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy