________________
८५
એટલે નાધેર્લેન્ડ : લશ્કર લઈ તેની સામે ગયેા, પરંતુ તે લશ્કર મેરીને મળી ગયું, અને નાધેબર્લેન્ડને આંસુભરી આંખે મેરીના નામને યદ્વેષ કરવા પડયા. નવ દિવસનું રાજ્ય ભાગવી લેડી જેન ગ્રે અને તેને પતિ કારાગૃહમાં પડ્યાં. મેરીએ દયા આણી તેમને જીવતાં રાખ્યાં, પણ પાછળથી ખટપટા ઉભી થઈ; આ સર્વ ખટપટનું મૂળ જેન ગ્રે છે એવું અનુગતું આળ ચડાવીને મેરીએ તે પતિપત્નીને વધ કરાવ્યા.
મેરી ગાદીએ આવતાં લોકો ખુશી થયા. તેણે અને તેની માતાએ એટલાં દુ:ખો ભોગવ્યાં હતાં કે લેકે તેમની દયા ખાતા, અને મેરીને ગાદી મળવી જોઈએ એમ તેએ માનતા. પાછલાં વર્ષોમાં એટલી બધી ઝડપથી ધર્મસુધારણા કરવામાં આવી હતી, કે સામાન્ય પ્રજાવર્ગ નારાજ થઈ ગયેા હતા. લેકે જાણતા હતા કે મેરી એવા સુધારાની વિરુદ્ધ હોવાથી તેના રાજ્યમાં સર્વ દુઃખોનો અંત આવશે.
o
ધર્મસુધારો: પરંતુ પ્રજાની આશા ખેાટી પડી. મેરી ચુસ્ત રામન કૅથલિક હતી, એટલે તેણે ધાર્મિક સુધારા રદ કર્યાં, ઈંગ્લેન્ડમાં પેપનું આધિપત્ય સ્થાપ્યું, અને આશરે ત્રણસે માણસાને જીવતાં બાળી મૂક્યાં. તેના આવા ધર્માધ જુલમથી તેને ‘હત્યારી મેરી'નું ઉપનામ મળ્યું.
લગ્નઃ મેરીએ ધાર્મિક કાર્ય આગળ ધપાવવા સ્પેનના રાજા ફિલિપ જોડે લગ્ન કરવાના વિચાર કર્યો. પાર્લમેન્ટને આ વાત ગમી નહિ; કેમકે આ લગ્નથી ઇંગ્લેન્ડ સ્પેનનું ઉપરાજ્ય થઈ જાય, અને દેશમાં સ્પેનના જેવા ધાર્મિક જીલમ ચાલે; પણ મેરીએ પેાતાનું ધાર્યું કર્યું. દેશમાં અનેક બંડિફસાદ ઊડ્યાં, પણ તેથી કંઈ વળ્યું નહિ. ઉલટું કેટલાક પ્રતિષ્ઠિત માણસાતે મારી નાખવામાં આવ્યા, અને દેશમાં જુલમ વધી ગયા. ધર્મને નામે ખૂનામરકી થવા લાગી, દેશમાં દારુણ દુ:ખ વર્તી રહ્યું, પ્રજામાં અસંતાષના અંકુર ફૂટી નીકળ્યા, અને મેરીની ધાર્મિક રાજનીતિ નિષ્ફળ નીવડી.
પરંતુ લગ્નથી મેરીી સુખી થઈ નહિ. તેનામાં સ્ત્રીના સુકુમાર ગુણા નહાતા, અને ફિલિપ સ્વાર્થી અને અભિમાની હતા. ફિલિપને પોતાથી ખાર વર્ષ મોટી સ્ત્રી ગમી નહિ, એટલે એક વર્ષ રહીને તે પોતાને દેશ ચાલો ગયા. ફરીથી એકજ વાર તે આવ્યા, અને તે પણ ઈંગ્લેન્ડને લડાઈમાં ઉતારવા માટે. દરમિઆન ફ્રાન્સ અને સ્પેનને યુદ્ધ થયું. ફિલિપે સ્પેનને મદદ