________________
સ
ઉપર કર નાખ્યા, અને લડાઈમાં પડતી નાણાંની ખેાટ પૂરી પાડી. ફલાન્ડર્સના કારીગરાને દેશમાં ખેલાવીને તેણે ઊનનાં કારખાનાં સ્થપાવ્યાં.
હવે મેટાં શહેરી વસવા લાગ્યાં. નામઁન લેાકા આવ્યા એટલે ફલાન્ડર્સ, નોર્મડી અને ફ્રાન્સ જોડે વેપારનું ખારૂં ખૂલ્યું. ધીમે ધીમે નદીતટે, ચાર રસ્તા મળતા હોય ત્યાં, મ પાસે, કે સગવડવાળાં સ્થળાએ શહેર વસ્યાં. આ શહેરની આસપાસ મેાટા કિલ્લો અને ફરતી મેાટી ખાઈ હોય. બહારની અવરજવર માટે લાકડાને ખેંચી લેવાય તેવા પૂલ રાખવામાં આવતા. શહેરમાં એક બજાર હોય, અને વેપારીને ત્યાંજ માલ વેચવા પડે. બજારમાં મુસાફરા, વેપારીએ અને આડતીઆએ મળે, અને દારૂ, રેશમ, કાપડ, તેજાના વગેરેને વેપાર ચાલે. તે સમયે સારા રસ્તા નહેાતા, એટલે અંદરના ભાગના વેપાર ખીલ્યું। નહાતા; માત્ર નદીકાંઠે કે દરિયાકિનારે આવેલાં શહેરા આબાદ થયાં.
રિચર્ડ ૧લાને ધર્મયુદ્ધમાં જવા પૈસાની તાણ પડી, ત્યારે તેણે શહેરની સ્વતંત્રતા વેચવા માંડી. આથી વેપારીઓને લાભ થયા. દરેક ધંધાદારીએ પોતાનું મહાજન બાંધ્યું. આ મહાજન માંદા કારીગરની સંભાળ રાખે, મરનારની વિધવાને પાળે, અને કારીગરાનાં બાળકાને ધંધાની તાલીમ અપાવે. કામનું અને રાજીનું એકસરખું ધારણ બાંધવાનું કામ મહાજનના હાથમાં હતું. એડવર્ડ ૧લાએ આ ધંધાદારીઓને સુખસગવડ કરી આપ્યાં, અને વ્યાજખાઉ યાહુદીઓને દેશમાંથી હાંકી કાઢયા.
પ્રસંગેાપાત દેશના જુદા જુદા ભાગમાં મેળા ભરવામાં આવતા. મેળામાં વેપારીએ માલ લાવે, અને આસપાસના લોકો ત્યાંથી જોઈએ તે લઈ જાય. ખેડુતો ખેતરનું ઉત્પન્ન, ઢારઢાંખર, વગેરે લાવીને ત્યાં વેચે, અને જોઈતી વસ્તુઓ લઈ જાય. પરદેશી વેપારીએ ઊન લઈ જાય, અને લોઢું, તાંબું, રેશમ, અને જવાહીર આપી જાય. આ રીતે ઇંગ્લેન્ડના વેપાર ચાલવા લાગ્યા. એ જમાનામાં ઈંગ્લેન્ડની મુખ્ય પેદાશ ઊન હતી.
૩. સમાજ
જંગલી અવસ્થાના બ્રિટને ચામડી રંગતા. તેએ ધરા બાંધી જાણતા વહેાતા. સેકસના ગામડાંમાં રહેતા, અને સાદું પણ નિયમિત જીવન ગાળતા.