________________
૭૪ (૨) દિવાની અદાલતેઃ નાના દિવાની દાવાઓને નિર્ણય પરગણાની કાર્યોમાં થાય છે. તેવી કેટેના નિર્ણય વિરુદ્ધ વડી અદાલતમાં અપીલ થઈ શકે છે. | (૩) વડી અદાલતઃ આમાં ત્રણ પ્રકારની અદાલતો છે. આ અદાલતોની વિરુદ્ધ “અપીલની અદાલતમાં અપીલ થઈ શકે છે, અને તે “અપીલની અદાલત” ના નિર્ણય વિરુદ્ધ અમીની સભામાં અપીલ કરી શકાય છે. અમરેની સભા એ રાજ્યમાં છેવટની અપીલની અદાલત ગણાય છે.
સિન્ય: સૈન્યના બે વિભાગ છે. (૧) ખાસ, અને (૨) સ્વયસૈનિક (Regular and Territorial). ખાસ સૈન્યમાં બાર વર્ષ નોકરી કરવી પડે છે. તેમાં સાત વર્ષ પ્રત્યક્ષ અને પાંચ વર્ષ મુલકી ફેજમાં કરવાની છે. આ સૈન્યને બ્રિટનની બહાર પણ નેકરી કરવા જવું પડે છે. સ્વયંસૈનિકોને ચાર વર્ષ નોકરી કરવાનું બંધન છે. તે ઉપરાંત પ્રતિવર્ષ પંદર દિવસ લશ્કરી મથકેમાં તાલીમ લઈ યુદ્ધવિદ્યાનું જ્ઞાન તાજું રાખવા જવું પડે છે. આ સૈન્ય પરદેશ જવા બંધાએલું નથી, એટલે યુદ્ધ સમયે દેશની રક્ષાનો ભાર તેના શિર પર રહે છે. સૈન્યમાં તપખાનાં અને એન્જિનિયરની તાલીમ માટે વુલીચની રીયલ મિલિટરી એકેડેમી છે; સેન્ડહર્ટની રૉયલ મિલિટરી કોલેજમાં હયદળ અને પાયદળના અમલદાર થવાનું શિક્ષણ અપાય છે.
નૌકાસન્યઃ ઈગ્લેન્ડના વિશાળ સામ્રાજ્યની રક્ષા માટે તેનું સૈન્ય પૂરતું નથી. ઈગ્લેન્ડનાં સામર્થ અને વૈભવ તે તેના આવા પ્રબળ નૌકાસૈન્ય ઉપર ટકી રહ્યાં છેએ વાત રાણી ઇલિઝાબેથના સમયથી જાણીતી છે. એ નૌકાસૈન્યને જેરેજ તેણે સ્પેન, હોલેન્ડ, અને ફ્રાન્સ જેવા પ્રતિસ્પર્ધીએની જોડે ટક્કર લઈ તેમને હરાવ્યા હતા. આજે પણ ઇંગ્લેન્ડનું નૌકાદળ કોઈ પણ દેશના નૌકાબળ કરતાં શ્રેષ્ઠ છે. ઇ. સ. ૧૭૦ ૮થી તેની વ્યવસ્થા સાત સભ્યની એક સમિતિ (Board of Admiralty) દ્વારા ચાલે છે; તેને મુખ્ય સભાસદ પ્રધાનમંડળના સભ્ય હોય છે, અને તે નૌકા ખાતાને માટે પાર્લમેન્ટને જવાબદાર હોય છે. ન્યૂઝીલેન્ડ, ઑસ્ટ્રેલિઆ, અને કેનેડાએ પતાનાં લડાયક જહાજ બાંધી તે પર કામ કરનારા માણસોનું ખર્ચ પોતે ભોગવવાનો ઠરાવ કર્યો છે, એટલે સામ્રાજ્યના સર્વ ભાગને સુરક્ષિત રાખવાને ઈંગ્લેન્ડના નૌકાખાતાનો ભાર હળવો થયો છે.