________________
ઉપાડે. આયરિશ લેકોને આ દેવળના નિભાવ માટે કરે (Tithe) ભરવા પડતા, એટલે આ દેવળ તેમને માટે એક અપમાન સમાન હતું. એકોને જુસ્સાદાર ભાષણ આપી લેકોને એ કર ન ભરવાને ઉશ્કેર્યા. આથી તોફાનો થયાં. સરકારે તે દબાવવાને જેમ જેમ પ્રયત્ન કર્યો, તેમ તેમ આયર્લેન્ડમાં અશાંતિ વધી. આથી લોર્ડ મેમ્બેર્ન આયલેન્ડ માટે પણ ગરીબીને કાયદે ઘડી, તથા ધર્મસમાજ–વે જમીનદાર પાસેથી લેવાનો ઠરાવી, તેમને શાંત પાડવા યત્ન કર્યો, ઈ. સ. ૧૮૩૫. - ત્યારપછી રોબર્ટ પીલના પ્રધાનમંડળ દરમિઆન આયર્લેન્ડ અને ઈગ્લેન્ડને સંગ રદ કરી “સ્વરાજ્ય મેળવવા તેણે જેસભેર ચળવળ ઉપાડી. મામલે ગંભીર બનતો દેખી પીલે કડક પગલાં લીધાં. સભાબંધીને કાયદો પસાર થયો, અને એક જંગી સભા અટકાવી. ઓકોનેલ તે હુકમને તાબે થયે. તેને પકડવામાં આવ્યો, અને કેદની સજા કરી; પણ પાછળથી અમીરેની સભાએ તેને છોડી મૂકો. પરંતુ એકોને સરકારના હુકમને તાબે થયો, એ વાત આયરિશ યુવાનને ગમી નહિ. આથી આટલું આટલું આત્મબલિદાન આપનાર આ મહાન પુરુષને પણ જાહેર જીવનમાંથી નિવૃત્ત થવું પડયું. તે ઈ. સ. ૧૮૪૭માં મરણ પામે. - આ મહાન દેશસેવકે અણીને વખતે માતૃભૂમિની મુક્તિ ખાતર બહાર પડી જે આત્મસમર્પણ કર્યું તે પ્રશંસાપાત્ર કેમ ન બને ?
પાર્સેલઃ ઓગણીસમા સૈકામાં આયરિશ પ્રશ્ન એટલે બધો બારીક બનતો ગયે, કે બ્રિટનના દરેક મુત્સદ્દીને તેમાં માથું મારવું પડયું. આયલેન્ડમાં પ્રોટેસ્ટન્ટ જમીનદારે ગમે ત્યારે ખેડુતોને પોતાની જમીનમાંથી હાંકી કાઢતા; અને ખેડુતોએ કરેલી મહેનતનો બદલે પણ મળતો નહિ. એક તે ખેડુતોને મજુરી કરી ગુજરાન ચલાવવાનું રહ્યું, તેમાંએ જમીનદારોનો ત્રાસ તે ખરેજ. આ પરિસ્થિતિમાં પાર્નેલ નામના ત્યાંના જમીનદારેજ ગ્લૅડસ્ટનના બીજા પ્રધાનમંડળ દરમિઆન ખેડુતોની સ્થિતિ સુધારવા ચળવળ ઉપાડી. તેણે ત્રણ માગણી કરી. (૧) વાજબી વિઘેટી, (૨) વેચાણને હેક, અને (૩) ભોગવટા માટે ચોક્કસ મુદત. ગ્લૅડસ્ટને આ માગણીઓ પૂરી પાડવા જમીન સંબંધી બે કાયદા પસાર કરાવ્યા; પણ પાર્નેલ અને