________________
- - કેજો પાસેથી કેનેડ જીતી લીધા પછી ઈ. સ. ૧૭૭૪માં સાં ની ચાની ફેન્ચ પ્રજાને રેમન કેથલિક ધર્મમાં, આચારવિચારમાં, અને રાજ્યના ધટનામાં કે કાયદામાં ફેરફાર નહિ કરવાનું વચન આપ્યું. તે પછી અંગ્રેજો પાણીના રેલાની પેઠે આવી કાયમી વસવાટ કરવા લાગ્યા, એટલે તેમની અને
ચેની વચ્ચે ધર્મ, વિચાર, આદિ અનેક વિષયમાં મતભેદ પડ્યો. આવી સ્થિતિમાં સમાધાન આણવા માટે તરુણ પિદે ઇ. સ. ૧૭૯૦માં કાયદે કરી કેનેડાને “ઉત્તર” અને “દક્ષિણ” એવા બે ભાગ પાડવા. મુખ્યત્વે કરીને ઉત્તર કેનેડામાં અંગ્રેજો અને દક્ષિણ કેનેડામાં ફેન્સે રહે એ નિર્ણય થયો. આ બંને પ્રાંતને પ્રતિનિધિ–સભા આપવામાં આવી. પરંતુ ગવર્નર તેને જવાબદાર ન હોવાથી તે માત્ર શેભાની રહી, એટલે કેટલીક વેળા છે થતા. પછી ઉત્તર પ્રાંતમાં અંગ્રેજોએ વેપાર આદિમાં જબરી પ્રગતિ કરી, પણ એવી બાબતોમાં અજાણ્યા ફેન્ચ જેવા ને તેવા રહ્યા. છેવટે ઉત્તર અમેરિકાનાં બીજાં સંસ્થાનમાં કેનેડા જેવી રાજ્યપદ્ધતિ દાખલ કરવામાં આવી.
પરંતુ આ રાજ્યપદ્ધતિથી અંગ્રેજો અને ફેન્ચે વચ્ચેનો સંબંધ સુધર્યો નહિ. ઉત્તર કેનેડાના અંગ્રેજો વધારે રાજકીય હકની માગણી કરવા લાગ્યા, અને ઈ. સ. ૧૮૩૭માં નાનું સરખું બંડ થયું. લશ્કરી કાયદાની સહાયથી બંડ દબાવી દેવામાં આવ્યું, પણ સંસ્થાનીઓની સ્થિતિને અભ્યાસ કરી તેમને અનુકૂળ થાય એવી યોજના તૈયાર કરવા લૈર્ડ ડરહામ નામે ઉદારચિત્ત અને પ્રવીણ મુત્સદ્દીને મોકલવામાં આવ્યો. તેણે પિતાના મશહુર નિવેદનમાં કરેલી સૂચના અનુસાર બંને પ્રાંતિને એકત્ર કરી બે ધારાસભા સ્થાપવામાં આવી, અને એ અધિકારીઓને તેના જવાબદાર બનાવવામાં આવ્યા. ત્યાર પછી ત્યાં આગગાડી, તાર અને બીજા સુધારા દાખલ થતાં કેનેડાની ઉન્નતિ થઈ. તેના ઉદ્યોગી વતનીઓને ધીમે ધીમે ફેલાવો થયે, એટલે તેનું રાજ્ય વિસ્તાર પામ્યું. આ સર્વ સંસ્થાને એકત્ર કરી તેનું સંગઠિત રાજ્ય બનાવવાની પેજના ઈ. સ. ૧૮૬૭માં મૂર્ત થઈ. એથી કેબેક, ઓન્ટારિઓ, ન્યબ્રન્સવિ, નવા કેશિઆ આદિ સર્વ સંસ્થાનેને “કેનેડાનું સંગઠિત રાજ્ય” બનાવ્યું, અને તેના પર દેખરેખ રાખવા માટે ઈલેન્ડના પ્રધાનમંડળે ગવર્નર જનરલશ્રી, નીમણુક કરી. પરરાજ્યનું અને સામ્રાજ્યના પ્રશ્નો સિવાય બીજી બાબતમાં
*'..