________________
૩૯૨
પુન: સ્થાપવાની આશાએ ત્યાંના બદશાહે તેમની જોડે ભળ્યેા. અયેાધ્યામાં અને ગંગાની ખીણના પ્રદેશામાં બખેડા થયા, અને કાનપુરમાં અંગ્રેજ સૈન્યનો સંહાર કરવામાં આવ્યા, ઇ. સ. ૧૮૫૭.
ખારા સમુદ્રમાંએ મીઠી વીરડી હાય, તેમ કટોકટીને પ્રસંગે હેાલકર, સિંધિયા, અને નિઝામ જેવા રાજકર્તાઓ, મુંબઈ અને મદ્રાસની પ્રજા, અને સીખ સૈન્ય રાજનિષ્ઠ રહ્યાં એટલુંજ નહિ, પણ તેમણે આ ખંડ શમાવી દેવાના પ્રયત્નોમાં હાર્દિક સહાય આપી. સીખ અને અંગ્રેજ સૈન્યાએ દિલ્હી ઉપર આક્રમણ કરી તે જીતી લીધું. સેનાપતિ હેવલાક લખનૌ પર ચડી ગયેા.૧ ધીમે ધીમે અંગ્રેજોનું વર્ચસ્વ પાછું જામ્યું, અને સર્વત્ર ખંડ શમી ગુયું, ઇ. સ. ૧૮૫૮.
સિપાઈ ઓને બળવેા શમ્યા પછી લાર્ડ ડર્બીના પ્રધાનમંડળે કાયદા પસાર કરી હિંદના રાજ્યવહીવટનું સૂત્ર ઈસ્ટ ઈન્ડિઆ કંપનિ પાસેથી લઈ લીધું, અને ઈંગ્લેન્ડના રાજકર્તા ( ‘તાજ’ )ને હસ્તક મૂકયું. હવે હિંદને પ્રધાન અને તેના મંડળની મારફત પાર્લમેન્ટે હિંદની રાજ્યવ્યવસ્થા કરવી એવા ઠરાવ થયા, અને રાજકર્તાના પ્રતિનિધિને વાઇસરોયનું પદ આપવામાં આવ્યું. મહારાણી વિકટારિઆએ પ્રખ્યાત જાહેરનામું (ઢંઢેરા) પ્રસિદ્ધ કરી પ્રજાને અભય વચન આપી તેના કલ્યાણને અર્થે રાજ્ય ચલાવવાનું જાહેર કર્યુ, ‘ખાલસા નીતિ’ રદ કરી હિંદના રાજકર્તાએ જોડે થએલા કરારા પાળવાની તત્પરતા દર્શાવી, અને ધર્મમાં હસ્તક્ષેપ ન કરવાનું આશ્વાસન આપ્યું. ઇ. સ. ૧૮૭૭માં દિલ્હીમાં ભવ્ય દરબાર ભરવામાં આવ્યે, અને મહારાણીએ ‘કૈસરે હદ'નું
૧. બળવાખોરોએ ૩૦મી જીનથી લખનૌ લેવાના પ્રયત્નો કરવા માંડયા, અને હેવલાક છેક ૨૫મી સપ્ટેમ્બરે પહોંચ્યા. તે દરમિઆન ધરાએલા અંગ્રેજોએ જે અપ્રતિમ સાહસ, અતુલ કર્તવ્યનિષ્ઠા, અને દેશપ્રેમની ઉત્કટ ભાવના દર્શાવી, તેનું તાર્દશ વર્ણન ટેનિસન વીર વાણીમાં આપે છે. તે કહે છે કે—
O banner of Britain, hast thou
Floated in conquering battle or flapt to the battle-cry
{ }..
Never with mightier glory than when we had reared thee on high Flying at the top of the roofs in the ghastly siege of Lucknow.