________________
૩૫૬
ખરીદી લીધા, અને તેમ કરીને ઈંગ્લેન્ડ અને હિંદુસ્તાન વચ્ચેના વેપારના અને વ્યવહારના જળમાર્ગ ઉપર અખત્યાર મેળવ્યો.
એવામાં યુરેપના અગ્નિ કાણુમાં આવેલાં બાલ્કન રાજ્યામાં ખળભળાટ મચ્યું. આ રાજ્યાના લેાકેા ખ્રિસ્તી હતા, છતાં તેમને તુર્કીના અમલ નીચે રહેવું પડતું, તેથી વારંવાર ખટપટ ઉભી થતી. ઇ. સ. ૧૮૭૫માં હર્ઝેગોવિનિઆના લેાકેાએ ખંડ જગાડયું, એટલે આસ્ટ્રિ, જર્મની, ઈટલી, વગેરે રાજ્યાએ એકત્ર થઈ તુર્ક સુલતાનને યોગ્ય સુધારા કરી ખ્રિસ્તીઓને સારી રીતે રાખવા માટે દબાણ કર્યું. ડિઝરાયેલી આ રાજ્યા જોડે ભળ્યે નહિ; કારણ કે તુર્કસ્તાનને શત્રુ બનાવવામાં ગ્રેટબ્રિટનનું હિત નહેાતું. સુલતાને કશી દાદ દીધી નિહ, એટલે સ્લાવ ન્નતિના મુખી રશિઆના શહેનશાહે ધર્મબંધુને પક્ષ લઈ કેન્શન્સ્ટન્ટને પલ તરફ સૈન્ય રવાના કર્યું. રશિઆ કૅન્સ્ટન્ટિનેપલ કબજે કરે એ વાત ડિઝરાયેલીને પરવડતી ન હતી, એટલે તેણે તુર્કસ્તાનની મકે બ્રિટિશ નૌકાસૈન્ય રવાના કર્યું, અને જરૂરને પ્રસંગે કામ આવે તે માટે હિંદુસ્તાનથી સૈન્ય એલાવી માલ્ટામાં રાખ્યું. આથી રશિઆને શહેનશાહ ભય પામ્યા, અને તેણે સુલતાન જોડે મામેરાના સમુદ્રકિનારા ઉપર આવેલા સાનસ્ટીફેને મુકામે સંધિ કરી. આ સંધિ કદી અમલમાં આવી નથી, છતાં બાલ્કન દ્વીપકલ્પના વર્તમાન તિહાસ ઉપર તેની છાયા પડેલી છે. આ સંધિની મુખ્ય સરત એ હતી, કે બલ્ગેરિઆનું નવું વિશાળ રાજ્ય બનાવી તેને સ્વતંત્રતા આપવી. બલ્ગેરિઅન જાતિના સર્વ લેાકેાને સમાવેશ થાય એવું માનું રાજ્ય એ દ્વીપકલ્પમાં સ્થપાય, તે તે ઘણું બળવાન થઈ પડે; અને ત્યાં રશિઆની વગ રહે, એટલે પરિણામ એ આવે કે બાલ્કન દ્વીપકલ્પ, કાન્સ્ડન્ટનોપલ, મિસર, અને છેક હિંદુસ્તાન સુધી રશિઆની રાજદ્વારી વગ પહોંચી જાય. ડિઝરાયેલીથી એ કેમ સહ્યું જાય? તેણે એ સંધિ સ્વીકારવાની ના પાડી અને કહ્યું, કે ક્રીમિઅન વિગ્રહને અંતે થએલી પેરિસની સંધિમાં તુર્ક રાજ્યાની અખંડતા જાળવવાનેા કરાર છે, તેને ભગ કરીને આવી ખાનગી સંધિ કરી શકાય નહિં. તેના જબરા પ્રયાસને લીધે ઇ. સ. ૧૮૭૮માં બર્લિન મુકામે રશિઆ, આસ્ટ્રિ, જર્મની, ઈટલી, તુર્કસ્તાન, અને ગ્રેટબ્રિટનની સંયુક્ત પરિષદ્ બિસ્માર્કના પ્રમુખપદે મળી.