________________
૩૫૩ આ બનાવે ઘી હોમ્યું. આથી પામર્સ્ટનને રજા આપવામાં આવી. રસેલનું પ્રધાનમંડળ પણ ત્યાર પછી થોડા સમય ટકયું. રસેલના ઉત્તરાધિકારી ડબનું પ્રધાનપદ ગણ્યાગાંઠયા મહીના ટક્યું, એટલે છેવટે લૈર્ડ એબર્ડિન વડો પ્રધાન પામર્સ્ટન સ્વદેશ ખાતાનો પ્રધાન, અને રસેલ પરદેશમંત્રી થયે.
કીમિઅન વિગ્રહઃ એબડિનના સમયમાં દેશમાં ચાલીસ વર્ષ સુધી અખંડ પ્રવર્તી રહેલી શક્તિને ભંગ કરાવનારે એક મહાવિગ્રહ જા. તુર્કસ્તાનનું રાજ્ય ક્ષીણ થતું જતું હતું, એટલે તેમાં વગ વધારી પૂર્વમાં રાજ્યવિસ્તાર કરવાની રશિઆના ઝારની મહત્ત્વાકાંક્ષાને પરિણામે તેણે ક્રીનિઅન વિગ્રહ જગાડયા હતા. એ મરણશયા પર સૂતેલા મુસલમાની મહારાજ્યના ભાગલા પાડી વહેંચી લેવાની લાલચ આપી ઝારે ગ્રેટબ્રિટનને પિતાના પક્ષમાં ભેળવવાની યુક્તિ રચી. પરંતુ રશિઆની વિસ્તાર પામતી વગથી ચમકેલા અંગ્રેજ મંત્રીઓએ તુર્કસ્તાનનો પક્ષ લઈ રશિઆની સત્તા અને પ્રતિષ્ઠાને દાબી દેવાનો નિશ્ચય કર્યો. નેપોલિયન જેવું નામ કાઢવાના કોડીલા લુઈએ ગ્રેટબ્રિટનનો પક્ષ લીધે, અને ભયંકર વિગ્રહ ચાલ્યો. એબડિન જેવા મધ્યમ બુદ્ધિશક્તિવાળા પ્રધાનથી એ વિગ્રહ જેસભેર અને વ્યવસ્થા પૂર્વક ચલાવી શકાય નહિ. ક્રિીમિઆમાં રશિઆની ગાત્રો ઠુંઠવી નાખે તેવી ટાઢમાં અંગ્રેજી સૈન્યની બેસુમાર ખુવારી થઈ, એટલે પ્રજામાં પ્રધાન વિરુદ્ધ જબરે કલાહલ મચે. આથી એબર્ડિને રાજીનામું આપ્યું, અને રાણીને કચવાતે મને પામર્સ્ટનને પ્રધાનપદ આપવું પડયું. પરંતુ ત્યાર પછી યુદ્ધનો રંગ બદલાઈ ગયું. ઈ. સ. ૧૮૫૬માં પેરિસની અકારી સંધિથી એ વિગ્રહનો એવો અંત આવ્યો, કે કોણ જીત્યું અને કોણ હાર્યું તેને કશે નિર્ણય થઈ શકશે નહિ. આ વખતે તુર્કસ્તાનને યુરોપી રાજ્યના સંઘમાં દાખલ કરવામાં આવ્યું, કાળા સમુદ્ર પર કોઈ પણ રાજ્યને યુદ્ધસામગ્રી એકઠી કરવાની કે કિલ્લે બાંધવાની મના કરવામાં આવી, અને ડાર્ડનલ્સમાં તુર્કસ્તાન વિના અન્ય કોઈ રાજ્યના કાફલાને જવાની બંધી કરવામાં આવી.
સંયુક્ત ઈટલીઃ પેરિસની આવી અપૂર્ણ સંધિથી યુરેપનાં અનેક રાજ્યોમાં અવ્યવસ્થા અને ગુંચવણે ઉભી થઈ. અગ્નિ કેણમાં રશિઆની વૃદ્ધિ થતી અટકી, પણ તેની મહત્ત્વાકાંક્ષા શમી નહિ. ગ્રીસ અને બેલજીયમનાં દૃષ્ટાંતથી