________________
૩૮. ઇતિહાસમાં પહેલી જ વેળા મજુર પક્ષના સભાસદ પાર્લમેન્ટમાં બેઠા. તેમણે કોઈ પણ પક્ષ જોડે ભળી ને જતાં સ્વતંત્ર મત આપવાની પદ્ધતિ સ્વીકારી, એટલે બંને પક્ષને તેમની ગરજ પડવા લાગી. 1 લિબરલ મંત્રીમંડળ અને સામાજિક સુધારણાઃ આ વખતે સર હેનરી કેમ્પબેલ–બેનરમેન મુખ્ય પ્રધાન થયે, પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી એસ્કિવથ અર્થમંત્રી થય, વેલ્સનો ઉત્કૃષ્ટ વક્તા હૈઈડ પૅર્જ સ્વદેશમંત્રી બન્યો, અને પ્રસિદ્ધ પંડિત જવૅન મેલી ભારતમંત્રી થયું. ઈ. સ. ૧૯૦૮માં બેનરમેને રાજીનામું આપ્યું, એટલે મંત્રીમંડળમાં ફેરફાર થયો. હવે એસ્કિવથ મુખ્ય પ્રધાન થયો, અને લૈઈડ પૅર્જ અર્થમંત્રી થયે. કન્ઝર્વેટિવ પક્ષ તજનાર વિન્સ્ટન ચર્ચિલને પ્રધાનમંડળમાં દાખલ કરવામાં આવ્યો.
એસ્કિવથના નેતૃત્વ નીચે નવા પ્રધાનમંડળે શિક્ષણ અને માદક પદાર્થોના વેચાણ સંબંધી ખરડા રજુ કર્યા. તે આમની સભામાં પસાર થયા, પણ અમીરની સભાએ તેમને નામંજુર કર્યા. આટલું બાદ કરતાં આ પ્રધાનમંડળની યશસ્વી કારકીર્દીિમાં લેકહિતના કેટલાક કાયદા કરવામાં આવ્યા. અત્યાર સુધી એમ માનવામાં આવતું, કે મુડીદાર અને મજુરની તકરારમાં સરકારે વચ્ચે પડવું. એ વ્યક્તિસ્વાતંત્ર્યનો ભંગ કરનારું છે. પરંતુ ઓગણીસમા સૈકાના ઉત્તરાર્ધમાં એવો મત બંધાય, કે મજુરની સ્થિતિ સુધારવા માટે કાયદા કરવા એ રાજ્યને ધર્મ છે. ગ્લૅડસ્ટને ઇ. સ. ૧૮૭૧માં મજુરસંઘે સ્થાપવાની રજા આપી તેમને કાયદેસર ઠરાવ્યા હતા, છતાં એકસંપ કરી કામ બંધ કરવાથી માલિકોને જે નુકસાન પહોંચે તે બદલ મજુરસંઘનું ભંડોળ જપ્ત કરી લેવાનો નિર્ણય ન્યાયાધીશ આપતા હતા, એટલે એ સંઘે માત્ર ભારૂપ હતા. હવે એ કાયદે થયે, કે મજુરના ભંડોળને આવો દુરુપયોગ કર નહિ. ઉપરાંત કારખાનામાં કામ કરતા મજુરો કે ઘરકામ કરતા નેકરને અકસ્માત થાય, તે તેમને થએલું નુકસાન માલિકોએ ભરી આપવું એ કાયદે કરવામાં આવ્યો. કેટલાક ધંધાઓમાં મજુરીના દર ઠરાવી તેમને સમાન રાખવા માટે વ્યાપારી મંડળો સ્થાપવામાં આવ્યાં. તેમની પેઢીઓએ મંજુરેને કામ મેળવી આપવામાં સહાય કરવા માંડી, તેમજ જરૂર પડે તો તેમના કુટુંબને પરગામ જવામાં આર્થિક મદદ કરવા માંડી. કોલસાની ખાણમાં