________________
૩૧૭
એટલે તેના અર્વાચીન સ્વરૂપ સુધી અહીં તેના વિચાર કરવા જોઈએ. આ પ્રશ્ન ત્રણ વિભાગમાં વહેંચાઈ જાય છેઃ (૧) મિસર, એશિયામાઈનર, અને યુરેાપ, (૨) મધ્ય એશિઆ, અને (૩) પાસિફિકનાં સંસ્થાને.
યુરોપમાં એક સમયનું તુર્કસ્તાનનું મહારાજ્ય ક્ષીણ થતું હતું, અને તેને લાભ યુરાપનાં રાજ્યાને લેવા હતા. રશિઆ તેા પરાપૂર્વથી કાન્સ્ટેન્ટિનાપલના કબજો લઈ ડાર્ડેનલ્સ તાબે કરી ભૂમધ્ય સમુદ્રમાં રશિઅન વહાણા ફેરવી મિસરને ભયમાં રાખવાનાં તથા ઇંગ્લેન્ડ અને હિંદ વચ્ચે ચાલતા વેપારને રૂંધી નાખવાનાં સ્વપ્ના સેવતું હતું. વેપારનું ઉત્તમ મથક કેાન્સ્ટન્ટ નેપલ તેને કબજે કરવું હતું. ગ્રેટ ટન તુર્કસ્તાન પ્રત્યે ખાસ મૈત્રીભાવ ધરાવતું ન હેાવા છતાં તેને પક્ષ કરતું હતું; કેમકે તેને રશિઆને ભય લાગતા હતા. વળી એ પ્રમાણે જો રશિઆ તુર્કસ્તાનમાં ધણી થઈ બેસે, તે યુરોપની સત્તાતુલા ડગી જાય તેમ હતું. ફ્રાન્સને મિસર અને સિરિઆમાં સંસ્થાના સ્થાપવાના કાડ હતા, અને ઇ. સ. ૧૮૭૦ પછી જર્મનીએ એશિઆન માઈનરમાં વેપારી વિકાસ સાધવાને માટે આકાશપાતાળ એક કર્યાં હતાં.
મધ્ય એશિઆમાં રશિઆની સત્તા સાઈબિરિ તરફથી, અને ગ્રેટબ્રિટનની સત્તા પૂર્વ હિંદુસ્તાનમાંથી ધીમે ધીમે આગળ વધતી હતી. મહારાજ્યની સંસ્થાને અને વેપારના વિકાસ શેાધવાની પ્રવૃત્તિને લીધે પાસિફિક સંસ્થામાં પણ આ પ્રશ્ન ઉભા થયા હતા, તેમાં ૪૦ કરોડની વસ્તીવાળા ચીનના પ્રશ્ન અતિ વિકટ થઈ પડયા હતા.
ફ્રીમિઅન વિગ્રહ: ઇ. સ. ૧૮૫૪–૫૬. આ સમયે રશિઆમાં નિકાલાસ નામે રાજ્યલાભી અને માથાના ફરેલા શહેનશાહ હતા. તેની નિષ્ક્રિ ક્યારનીએ નિર્બળ તુર્કસ્તાન પર પડી ચૂકી હતી, એટલે તેને તેા. યુદ્ધ કરવાનું મિષ જોઈતું હતું. ઇ. સ. ૧૮૫૨માં જેરૂસલેમનાં તીર્થસ્થળે સંબંધી રશિ અને તુર્કસ્તાન વચ્ચે કલહ ઊઠયા, અને સુલતાનના રાજ્યમાં વસતા સર્વ ખ્રિસ્તીઓનું સંરક્ષણ કરવાના દાવા રશિએ કરવા માંડયા. પરંતુ સુલતાને તેને સ્પષ્ટ રીતે નિકાર કર્યાં. ગ્રેટબ્રિટન જો રશિઆને સહાય કરે, તા શિઆ તેને મિસર અને કેન્ડીઆ મેળવવામાં સહાય આપે એવી વિષ્ટિ મિબ્રવાસે ચલાવવા માંડી. પરંતુ જ્યારે વળ્યું નહિ ત્યારે તેણે એકલે હાથેજ