________________
કાર
અર્મિંગહેમ અને શેશીલ્ડ જેવાં અનેક સ્થળેાએ તાફાને થયાં. ઇ. સ. ૧૮૩૯માં કેટલાક તોફાની આગેવાનને સજા કરવામાં આવી, તાપણુ અનેક મનુષ્ય આ પ્રવૃત્તિમાં જોડાયા, અને આમની સભામાં લાંખી લાંખી અરજી કરવામાં આવી. જિંગ કે ટારી પ્રધાને આ લેાકેાની માગણીએ સ્વીકારવા તત્પર ન હતા. ઇ. સ. ૧૮૪૮માં ફિઆર્ગસ એકાનર નામના માણસે આશરે ૫૦,૦૦૦ માણસાને જોડે લઈ પાર્લમેન્ટને એક અરજી આપવા જવાના નિશ્ચય કર્યાં. આથી લંડનમાં લેાકેાને ફાળ પડી, એટલે પ્રજાના રક્ષણ માટે સરકારે પણ તાત્કાલિક અને અસરકારક ઉપાયા લેવા માંડયા. ઠેરઠેર હયદળ, અને તાપખાનું ગાઠવાઈ ગયું. ૧૦મી એપ્રિલનો સ્મરણીય દિવસ આવ્યું. વરસાદ કહે મારૂં કામ. એ સ્થિતિમાં ઝાઝા મનુષ્યા એકઠા થઈ શકયા નહિ. મેાળા પડેલા ઉત્સાહને બળાત્કારે ટકાવી રાખનારા ઘેાડા આગ્રહી માણસેાએ એકત્ર થઈ નિસ્તેજ વદને આમની સભામાં અરજી, આપી. આખરે તપાસ થઈ, ત્યારે અંદરથી અર્ધી સહીઓ ખાટી જણાઈ. કેટલાકે તે। પ્રિન્સ આલ્બર્ટ અને વેલિંગ્ટનના નામની સહી કરી હતી, અને કેટલાકે એથીએ આગળ વધીને ‘ચાંદેા–સુરજ ’ ‘ માખણ-રોટલા ’ જેવાં વિલક્ષણ નામે સહી કરી હતી. આને લીધે લેાકેામાંથી તેમના કાંકરા નીકળી ગયા. તે યુગમાં આ હકપ્રાર્થીએ ગમે તેવા અતિ સુધારક જણાવા લાગ્યા, છતાં તે સાથે પ્રતિવષઁ નવી પાર્લમેન્ટની માગણી વિના બીજા બધા બીજભૂત સિદ્ધાન્તા સ્વીકારી લઈ તેમની માગણીઓમાં રહેલા ડહાપણની પરેાક્ષ કદર કરવામાં આવી હતી.
'
નિરંકુશ વેપારઃ એક બાજુએ હકપ્રાર્થીએ રાજકીય હકા પ્રાપ્ત કરી સામાજિક અનè ટાળવાના પ્રયત્ન કરી રહ્યા, ત્યારે બીજી બાજુએ કેટલાક વિચારશીલ અને બુદ્ધિમાન મનુષ્યા વધારે દીર્ધદષ્ટિ વાપરીને કહેતા, કે ઇ. સ. ૧૮૧૫માં પસાર થએલા ધાન્યને કાયદા રદ કરીને અનાજની સેાંધવારી કરવાથી આ સર્વ અનર્થાને અંત આવી જશે. દરમિઆન ચતુર અને શુદ્ધહૃદય રિચર્ડ કાર્મ્ડન અને તેના મિત્ર જ્હાન બ્રાઈટે અગ્રેસર થઈને ધાન્યના કાયદાના વિરોધ કરનારા સંધ (Anti Corn Law League) સ્થાપ્યા,
૧. આ અર્જીએમાં એક એટલી લાંખી હતી, કે ટિપણાની પેઠે વાળતાં ગાડાના પૈડા જેટલો તેનો ઘેરાવા થયો, અને સેાળ મનુષ્યોને તે ઉપાડવી પડી!!