________________
૨૮૯ :
નેપોલિયને રશિઆ અને ઐસ્ટ્રિઆનાં સૈન્યને ઓસ્ટલિટઝ પાસે હરાવ્યાં, અને બીજે વર્ષે પ્રશિઆ છનાના યુદ્ધમાં હર્યું. આથી નેપોલિયન યુરોપમાં સર્વશ્રેષ્ઠ બની ગયે.(તેણે ગ્રેટબ્રિટનનો સામુદ્રિક વેપાર ધી નાખી તેને શક્તિહીન કરવાના આશયથી બર્લિનથી ફરમાન કાઢયું, કે ફ્રાન્સના મિત્રરાજ્યના મુલકમાં કોઈએ ગ્રેટબ્રિટન અથવા તેનાં સંસ્થાનમાં બનેલે માલ અથવા તેનાં વહાણોને આવવા દેવા નહિ. ઈગ્લેન્ડે આ ફરમાનના જવાબમાં એવું ‘શાસન’ (Orders in Council) કાઢયું કે જ્યાં તેનાં વહાણે જઈ શકે નહિ, ત્યાં અન્ય રાજ્યનાં વહાણોએ પણ જવું નહિ. પરિણામે નૌકાસૈન્યના પ્રાબલ્યને લીધે ઈગ્લેન્ડના શાસનનો કડક અમલ થયો, એટલે યુરોપનાં રાજ્યમાં જીવનની આવશ્યક વસ્તુઓ દુર્લભ થઈ પડી, અને દાણચોરી ચાલવા લાગી. હવે ઈરલેન્ડને માલ બીજા દેશોમાં થઈ છૂપી રીતે ફ્રાન્સમાં જવા લાગ્યો. તે એટલે સુધી કે ખુદ ફ્રેન્ચ સૈનિકોના કામળા અને પગરખાં પણ ઈગ્લેન્ડની બનાવટમાં આવવા લાગ્યાં. )
ઈ. સ. ૧૮૦૭માં રશિઆએ નેપોલિયન જોડે સંધિ કરી લીધી, એટલે ત્રીજા સંઘને અંત આવ્યો. , પિદના મૃત્યુ પછી લૈર્ડ ગ્રેન્યુલ, ફેકસ અને એડિંટન જેવા વિવિધ પક્ષવાળાઓનું સંયુક્ત મંત્રીમંડળ અધિકારમાં આવ્યું. તેમનામાં વિગ્રહ ચલાવવાની શક્તિ ન હતી, એટલે તેમણે સંધિ કરવાની વિષ્ટિ ચલાવી, પણ વ્યર્થ. તેમણે ગુલામગીરી બંધ કરવાને કાયદો કર્યો. વળી કેથલિકને ધાર્મિક છૂટ આપવાના પ્રશ્નમાં તેમને રાજા જોડે મતભેદ થયે, એટલે પાર્ટલેન્ડને ઠાકર મંત્રીપદે આવ્યો. સદ્દભાગ્યે તે મંડળમાં જ્યોર્જ કેનિંગ જેવો પિટ્ટની રાજનીતિને અનુયાયી અધિકાર પર આવ્યો. રશિઆ અને ફ્રાન્સ વચ્ચે સંધિ થયા પછી કેનિંગને ભય પેઠે, કે નેપોલિયન ડેનમાર્ક પર ચડાઈ કરી તેના નૌકાસૈન્યને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઉપયોગ કરશે. તેણે એકદમ કેઈન
૧. કહેવાય છે કે આ હારના સમાચાર મળ્યા, ત્યારે પિટ્ટ યુરેપનો નકશો જતા હતા. તેણે શોકસમાચાર સાંભળીને ભાગેલા હૈયે કહ્યું, કે “એ નશો વીંટી મૂકે; હવે દસ વર્ષ સુધી એને ખપ પડવાનો નથી.” નિરાશાના આઘાતમાં તે મરણ પામ્યો.