________________
નાખી ફરતા બ્રિટિશ નૌકાસૈન્યની નજર ચુકાવી તે એલેકઝાંઆિમાં ઉતરી પડે. મામેલ્યુક નામના રણશર દ્ધાઓ તેની સામે થયા, પણ તાલીમ પામેલી ફ્રેન્ચ સેનાના જોરદાર ધસારા પાસે તેમનું કંઈ વળ્યું નહિ. સમગ્ર મિસર નેપલિયનને હસ્તક પડે, પણ આ વિજયનું ખાસ પરિણામ ન આવ્યું; કેમકે દેશસેવામાં એક હાથ અને એક આંખ અર્પણ કરી ચૂકેલે, અને સેન્ટ વિન્સેન્ટના યુદ્ધમાં અદ્વિતીય પરાક્રમ વડે અપૂર્વ નામના પામેલે હરેશિયો નેલ્સન ફેન્ચ કક્ષાની શોધમાં ભૂમધ્ય સમુદ્રમાં સર્વત્ર ભમી રહ્યો હતો. ભાળ મેળવતે તે નાઈલ નદી સુધી પહોંચ્યા. લશ્કર તે ઉતરી ગયું હતું, પણ અબુકીરના અખાતમાં ફ્રેન્ચ જહાજો હારબંધ પડી રહ્યાં હતાં. મોડી રાત સુધી યુદ્ધ ચાલ્યું, પણ અંતે ફેન્ચ કક્ષાને લગભગ નાશ થયે. પૂર્વમાં સામ્રાજ્ય સ્થાપવાનાં નેપોલિયનનાં સ્વમ ઉડી ગયાં; તે મિસરમાં કેદી જેવો થઈ રહ્યો, પણ એ વીર કેસરી આપત્તિકાળમાં હિંમત હારી જાય તેવું ન હતું. નિર્જન પણ ઓળંગીને તેણે સીરિયામાં ઉતરવાને સંકલ્પ કર્યો. પરંતુ એકર બંદરના કિલ્લા પાસે અંગ્રેજ નૌસેનાની સિડની સ્મિથની સહાયથી તુર્ક સૈન્ય તેને અટકાવ્ય. બે માસ સુધી ઘેરો ઘાલ્યા છતાં જ્યારે એ શૂરા દ્ધાઓ ડગ્યા નહિ કે નમ્યા નહિ, એટલે હતાશ થએલા નેપોલિયને ઘેરે ઉઠાવી મિસર તરફ પાછાં પગલાં કર્યો, ઈ. સ. ૧૭૯૯. ઈ. સ. ૧૮૦૧માં એલેકઝાંઆિના યુદ્ધમાં અંગ્રેજોને શરણે જવું પડયું, ત્યાં સુધી નિરાશ થએલું કેન્ચ સૈન્ય મિસરમાં પડી રહ્યું, પણ નેપોલિયન એક વહાણમાં બેસી છૂપી રીતે યુરેપ ઉપડી ગયો, ઈ. સ. ૧૭૯૯.
નાઈલને યુદ્ધમાં ફ્રેન્ચ સૈન્યનો પરાજય થતાં તેની પ્રતિષ્ઠા હીણી પડી, અને અન્ય રાજ્ય ફાન્સની સામે પડવા તૈયાર થયાં. ઈગ્લેન્ડ, રશિઆ, આિ , અને તુર્કસ્તાને ફરીથી મિત્રસંધ ર, ઇ. સ. ૧૭૯૯. આ
૧. આ યુદ્ધમાં નેલસનને માથા ઉપર સખત ઘા વાગે. એક શસ્ત્રવૈદ્ય બીજ દરદીને છોડી તેની સારવાર કરવા માટે દેડી આવ્યો. એ જોઈ ઉદારચિત્ત, નિરભિમાન, અને વત્સલહૃદયના નેલ્સને કહ્યું, “એમ નહિ, મારે વારે આવે ત્યારે વાત!” 1 મિસિસ હેમાસે પોતાના કાવ્યમાં અમર કરેલા કેસાબિયાન્કાવાળું વહાણ “લ એરિયન્ટ” આ યુદ્ધમાં બળી ગયું હતું.