________________
૨૭૦
સાંભળનાર કાણુ હતું? યુરોપનાં બધાં રાજ્યે વિરુદ્ધ પડયાં છે, સંસ્થાની આપણા એકલાહિયા ભાઈ છે, તેમનાં લેહી રેડાવાથી બંધુત્વનાં બંધનો કપાઈ જશે, એમ પિદ્મ અને અર્ક ગંભીર વાણીમાં સમજાવી રહ્યા, પણ દીર્ધદષ્ટિ અને સમુદ્ધિને અવકાશ કયાં હતા ? વિગ્રહ જાહેર થયા. સંસ્થાનીઓની પરિષદે . જ્યાર્જ વાશિંગ્ટન નામના અથાગ દેશપ્રેમી, ધીર, શૂર, અને સાહસિક પુરુષને સેનાપતિપદ આપ્યું.
આરંભમાં ખેસ્ટન પાસે યુદ્ધ થયું. ઇ. સ. ૧૭૭૫માં લેકિસગ્ટન પાસે ઘેાડા ઘણા અંગ્રેજ સૈનિકા મરાયા, પણ પછી અંગ્રેજ સૈન્યે બંકરની ટેકરીને કબજો લઈ સંસ્થાનીઓને હરાવ્યા. સંસ્થાનીઓમાં તાલીમ ન હતી, તેમની પાસે નહાતાં પૂરાં શસ્ત્રો, કે નહોતી ખપોગી યુદ્ધ સામગ્રી; તેમનામાં અડગ ધૈર્ય, અચળ નિશ્ચય, અને જ્વલંત સ્વદેશપ્રેમ હતાં.
જ્યાર્જ વાશિંગ્ટનઃ ઈ. સ. ૧૭૭૧માં વાશિંગ્ટને અંગ્રેજોને ખેસ્ટન ખાલી કરવાની ફરજ પાડી. આ વિજયના આનંદમાં તે વર્ષના જુલાઈની ૪થી તારીખે પરિષદે સ્વાતંત્ર્યનું જાહેરનામું’ પ્રસિદ્ધ કર્યું, અને સંસ્થાનાનું પ્રજાસત્તાક રાજ્ય બનાવી તેને સંયુક્ત સંસ્થાના' એવું નામ આપ્યું. પરંતુ ઇ. સ. ૧૭૬૭માં બ્રેન્ડીવાઈન નદીના યુદ્ધમાં વાશિગ્ટન હાર્યાં, ફિલાડેલ્ફિઆ અંગ્રેજોને હાથ આવ્યું, અને વિગ્રહમાં વિજય મેળવવાની આશા આવી; પરંતુ દૈવેચ્છા જુદી હતી. બર્ડાઈન નામના કેનેડાથી સૈન્ય લઈ આવતા સેનાપતિને સારાટેાગાના યુદ્ધમાં પરાજય મળ્યો. આમ સંસ્થાનીઓને જય મળ્યો, અને તેમણે અપ્રતિમ સાહસ
જ્યાર્જ વાશિંગ્ટન
મને શાર્ય દર્શાવ્યાં ખરાં, પણ બે વર્ષના યુદ્ધમાં તેમનાં અલ્પ સાધના