________________
૨૬૮ હતા ઈગ્લેન્ડથી તેમની રાજસભાના પ્રમુખપદ માટે સુઓ આવતા. એ બળવાન, શૂરા, અને આત્મશ્રદ્ધાવાળા સંસ્થાનીઓને હવે ઈગ્લેન્ડથી સ્વતંત્ર થવાની ઈચ્છા થઈ. તેઓ પરદેશ જઈ વસ્યા હતા, તો પણ પોતાને અંગ્રેજી માનીને સ્વતંત્રતાના હકદાર ગણતા હતા; પણ ઈગ્લેન્ડ તેમની પરવા કરતું નહિ. તેને મન તે સંસ્થાને એટલે ઈંગ્લેન્ડમાં બનેલે માલ વેચવાનું બજાર, અને ઈગ્લેન્ડમાં પેદા ન થાય તેવી વસ્તુઓ પેદા કરવાનાં કારખાનાં. તેણે સંસ્થાનેને નૌયાનને કાયદો લાગુ પાડે, અંગ્રેજ વિના બીજી પ્રજા જોડે વેપાર કરવાની મના કરી, અને કેટલીક વસ્તુઓ ઉત્પન્ન કરવાનો નિષેધ કર્યો. જર્યોર્જના રાજ્યારોહણ પહેલાં પણ સંસ્થાનોમાં અસંતોષ વ્યાપી રહ્યો હતો. વળી ઉપરના કાયદાઓને કડક રીતે અમલ કરવામાં આવ્યું હોત, તો ક્યારનેએ બળવો ફાટી નીકળ્યા હતા. પરંતુ કાયદા પોથીમાં રહેતા અને સંસ્થાને વેસ્ટ ઈન્ડિઝ જોડે ધમધોકાર વેપાર ચલાવતાં. - ર્જ ગ્રેનવિલ મંત્રીપદે આવીને સતવાર્ષિક વિગ્રહનું ખર્ચ જોઈ સ્તબ્ધ થઈ ગયો. અમેરિકાનાં સંસ્થાનોના હિત માટે આ વિગ્રહ થયે હતા, કેનેડાના ફેજો તરફથી તેઓ ભયમુક્ત થયા હતા, તે પછી તેમણે વિગ્રહના ખર્ચને ત્રીજો ભાગ આપવો જોઈએ, એમ ધારી તેણે સ્ટાંપને કાયદો પસાર કરી ઠરાવ્યું, કે સંસ્થાનોમાં થતા પ્રત્યેક દસ્તાવેજ અને વર્તમાનપત્ર ઉપર અમુક કિંમતને ટાંપ લગાડવું જોઈએ. આમાં કશું અયોગ્ય ન હતું. ઈગ્લેન્ડમાં પણ કરનો બેજ વધી પડયું હતું, તે સમયે સંસ્થાનીઓએ પિતાનો હિસ્સો આપવો જોઈએ. સંસ્થાનીઓના વેપારને બીજા કાયદાઓથી જે આઘાત પહોંચતો હતો, તે આઘાત આ કાયદાથી પહોંચવાનો ન હત; જે રકમ આવે તે સંસ્થાનોમાં લશ્કર રાખવા માટે વાપરવાની હતી. છતાં આ કાયદે પસાર કરવાની પદ્ધતિથી રોષે ભરાઈને સંસ્થાનીઓ વિરુદ્ધ પડ્યા. પરસ્પર કલશ તજી તેઓ એકત્ર થયા. તેમાંથી નવ સંસ્થાનોના પ્રતિનિધિઓએ એકત્ર થઈ આ કાયદાનો વિરોધ કર્યો. અમને પૂછ્યા વિના તમારાથી અમારી પાસેથી કર લેવાય કેમ? અમારા પ્રતિનિધિ તમારી પાર્લમેન્ટમાં નથી, તે પછી તમને અમારા પર કર નાખવાનો છે અધિકાર પ્રતિનિધિત્વ નહિ, તે - કર પણ નહિ; જોઈએ તે અમે તમને સ્વેચ્છાથી નાણું આપીએ. પિટ