________________
નામના નાર્થ બ્રિટન પત્રના અધિપતિએ પિતાના પત્રમાં કડક લખાણ કરવા માંડયાં. પાર્લામેન્ટમાં રાજાએ આ સંધિને કલ્યાણકારી અને ગૌરવવાળી કહી હતી. તેને ઉલ્લેખ કરીને એક લેખમાં તેણે લખ્યું, કે રાજાના મુખમાં અસત્ય મૂકવામાં આવ્યું છે. હવે ધૃષ્ટતાની હદ આવી રહી. એક નામઠામ ભર્યા વિનાને સાદો હુકમ કાઢીને અધિપતિ, મુદ્રક, અને પ્રકાશક સર્વને પકડવામાં આવ્યા. પરંતુ સમગ્ર દેશમાં આવા ગેરકાયદેસર કામ ઉપર જુસ્સાભેર ચર્ચા ચાલી રહી. હિગ પક્ષે અને વિલ્કીસના મિત્રોએ લેકને ભભરવા માંડયા, કે રાજા તો લેકોના સ્વાતંત્ર્યને હરી લેવા ઇચ્છે છે. પરંતુ વિલ્કીસ પાર્લમેન્ટનો સભ્ય છે માટે તેને પકડાય નહિ, એમ કહી ન્યાયાધીશોએ તેને છેડી મૂકો. હવે વિલ્ટીસે હુકમ કાઢનારાઓ ઉપર દાવ નોંધાવી ૧,૦૦૦ પૌડની નુકસાની મેળવી; પરંતુ વિલ્કીસે એક અશ્લીલ કાવ્ય રચ્યું હતું, તેને લાભ લઈને રાજાએ તેને પાર્લમેન્ટમાંથી કઢાવી મૂક્યો, અને તેને દેશનિકાલ કર્યો, ઈ. સ. ૧૭૬૪. દેશના રાજકારણમાં આવી રીતે ભાગ લેનારા રાજાની પ્રતિષ્ઠા ઓછી થઈ, અને અમેરિકાના સ્વાતંત્ર્યવિગ્રહે એ પ્રતિષ્ઠા છેક ટાળી નાખી.
ગ્રેવીલના સમયમાં અમેરિકાનાં સંસ્થાને જડેના કલહના કારણરૂપ પ્રસિદ્ધ દસ્તાવેજનો કાયદો પસાર કરવામાં આવ્યો. ગ્રેનવીલના વિચારો રાજાને અનુકૂળ હતા, છતાં તે તેને આજ્ઞાધારી સેવક બની રહેવા તૈયાર ન હતું. ઇ. સ. ૧૭૬પમાં રાજા માં પડયો, એટલે કોઈને રાજ્યરક્ષક નીમવાની આવશ્યકતા ઉત્પન્ન થઈ. મંત્રીઓએ કાયદે આયે, કે રાણી કે જર્યોર્જ રાજાના વંશજો “રાજ્યરક્ષક’ થાય. રાજ સાજે છે, ત્યારે પિતાની માતાને “રાજ્યરક્ષકપદથી બાતલ કરવામાં આવેલી જોઈ ક્રોધે ભરાયે, અને એનવીલે રાજમાતાનું અપમાન કર્યું એમ માનવા લાગ્યું. તેણે ગ્રેનવીલને રજા આપી વિઠગ પક્ષના ૉકિંગહામને મંત્રી ની. - સર્કિંગહામે પ્રથમના મંત્રીઓએ કરેલી ભૂલ સુધારી, અને દસ્તાવેજો કાયદે રદ કરી સંસ્થાનને શાંત પાડયાં. પરંતુ એ નબળા મંત્રીઓ બહુ વાર રહ્યા નહિ. રાજાને વિહગ ઉપર અણગમે તે, રોકિંગહામની નીતિ પસંદ ન