________________
૨૩૮
ટકાવી રાખતા. આ ઉપરાંત જરૂર પડે લાંચ, ઈનામઅકરામ, અને ભેટનો ટે હાથે ઉપયોગ થશે. ધર્મ વિષે પણ હિગ પક્ષે આગ્રહ રાખે છેડી દીધે. તેમણે અપ્રતિસાગ્રાહીઓ વિરુદ્ધના કાયદા કાઢી નાખ્યા, અને સર્વને પિતાને અનુકૂળ ધર્મ માનવાની ઉદારતા બતાવી. હજુ પાર્લમેન્ટના ખરા સૂત્રધાર અમીરે, ધનિકો, અને જમીનદારો હોવાથી આ પ્રકારના તંત્રને કુલીન રાજ્યતંગ” (Oligarchy) કહેવામાં આવે છે.)
ઈ. સ. ૧૭૧૫માં નવી મળેલી પાર્લામેન્ટમાં હિગ સભ્ય અધિક હતા, એટલે જ્યોર્જ ટેરી મંત્રીઓને રજા આપી હિગ પક્ષને અધિકાર આપે. વાઈકાઉન્ટ ટાઉનલેન્ડ, સ્ટેનપ, રબર્ટ વૅલ્પલ, સંડરલેન્ડ, અને શ્રુઆરી આદિ વ્હિગ અગ્રણીઓ મંત્રીમંડળમાં આવ્યા. તેમણે પિતાને પક્ષ મજબુત કરવાની ખાતર પ્રતિસ્પર્ધી ટેરીઓની ખબર લેવા માંડી. યુકટની સંધિ માટેની વિષ્ટિઓમાંથી અનેક વાંધા કાઢી ટેરી મંત્રીઓને તે માટે જવાબદાર ગણવામાં આવ્યા, અને વેશધારી જેમ્સને ગાદીએ લાવવાની ખટપટના આરોપ મૂકી જુના મંત્રીઓ ઉપર કામ ચલાવવામાં આવ્યું. બેલિંગબ્રોક અને એરિમંડ ફ્રાન્સ જઈ જેમ્સની એથે ભરાયા, એટલે તેમની જાગીર જન્મ કરવામાં આવી, અને ઑકસફર્ડને બંદીખાને મોકલવામાં આવ્યું. વર્ષો સુધી ટોરીઓને ટુઅર્ટોના પક્ષકાર ગણી અધિકારથી દૂર રાખવામાં આવ્યા. પાર્લામેન્ટમાં પણ તેમની સંખ્યા ભાગ્યે જ સાઠ–એંશીની રહી.
પાર્લમેન્ટની વરણી વખતે દેશમાં જેસના પક્ષકાએ તોફાન મચાવ્યું. પરંતુ ભવિષ્યમાં તેમ થવા ન પામે તે માટે વિદ્રોહનો કાયદે (Riot At) પસાર કરી ઠરાવવામાં આવ્યું કે કોઈ સ્થળે બાર માણસે એકઠાં થયાં હોય, ત્યાં ન્યાયાધીશ કાયદે સંભળાવી વીખેરાઈ જવાની આજ્ઞા કરે, છતાં નવીખેરાઈ જાય છે તેમના ઉપર બળાત્કાર પણ વાપરી શકાય.
(9aક ડઃ વિદ્રોહના કાયદાથી પ્રજાના સ્વાતંત્ર્ય ઉપર તરાપ પડવાથી અસંતોષ ઉત્પન્ન થયા હશે, એમ માની જેકબાઈએ જેને ગાદીએ આવાને છેલ્લે પ્રયત્ન કરી જોયો. ઈગ્લેન્ડમાં ટેરીઓને જેમ્સ માટે બહુ ભાવ ન હતું, પરંતુ કઈ પણ પ્રકારે ઠગ પક્ષની સત્તા તેડવા તેઓ એક પગે થઈ રહ્યા. વેલ્સ અને કૅર્નિવાલના જેકે બાઈટ પણ એમાં