________________
:::
:
ક: જજ
" R
:
પ્રકરણ ૧લું
જે ૧લે ઈ. સ. ૧૭૧૪–૧૭૨૭ (ાર્જ ૧લેઃ આ રાજા ૫૪ વર્ષને, સાદો, શાંત, નિર્દભી, પણ ભાવશૂન્ય હૃદયવાળો, સાધારણ બુદ્ધિને, પ્રમાદી અને અસ્થિર પ્રકૃતિનો હતો. તેને રાજ્યબંધારણના સિદ્ધાંતોની સમજણ પણ ન હતી છતાં તેનામાં
સામાન્ય સમજ અને કામનો નિર્ણય કરવાની શક્તિ અજબ | હતી. તેણે એવો નિશ્ચય કરી
લીધે, કે ઈંગ્લેન્ડના રાજ્યબંધા- રણમાં કદી હાથ નાખવો નહિ. (જે હિગ પક્ષને પ્રતાપે તે ઈગ્લેન્ડને રાજા થયા, તે પક્ષને રાજતંત્રનો ભાર સોંપી તે જર્મન મિત્રોના સહવાસમાં રહેવા લાગે.)
(આ યુગમાં આવા રાજાની જરૂર હતી. સત્તરમા સૈકાનાં ધાર્મિક અને રાજકીય ઉત્સાહનાં પૂર
ઓસરી જતાં હતાં, અને વ્યાપારી જે ૧લે
અને સાંસારિક કામનાની વૃત્તિ પ્રબળ થતી હતી. હવે અંગ્રેજો સામુદ્રિક શ્રેષ્ઠતાની મહત્ત્વાકાંક્ષા ધરાવવા લાગ્યા. દેશની વધતી જતી સમૃદ્ધિને લીધે ધાર્મિક વૃત્તિ ઓસરી જઈ નાસ્તિકતા આવવા લાગી. આથી અઢારમા સૈકાને “બુદ્ધિવાદને યુગ” કહેવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં ઑર્જનો અમલ દેશને અનુકૂળ હતો; પણ રાજા પરદેશી છે, એ વાત ખુદ રાજા કે પ્રજા બેમાંથી કોઈ ભૂલી શકતું ન હતું.)