________________
૨૦૬
વિભાગ–સંધિઓ ઈ. સ. ૧૬૯૮–૧૭૦૦. હવે સ્પેનના ગાદીવારસને પ્રશ્ન આગળ આવ્યું. સ્પેનને રાજા ચાર્જ લાંબુ જીવશે નહિ એમ બધાને લાગ્યું. તેનું રાજ્ય વિસ્તીર્ણ હતું, પણ તે નિઃસંતાન હતાઃ માત્ર તેને બે બેનો હતી. મોટી બેન ફ્રાન્સના રાજા લઈ ૧૪મા વેરે, અને નાની બેન ઑસ્ટ્રિઆના શહેનશાહ લિયોપેલ્ડ જોડે પરણી હતી. સગપણદાને લઈને સ્પેનનું રાજ્ય મળે તે યુરોપની સત્તાતુલા નાશ પામવાને સંભવ હતો, એટલે લુઈની રાણીએ સ્પેનની ગાદી પરથી પિતાને હક ઉઠાવી લીધે. એથી ચાર્સની નાની ફઈનો સ્પેનની ગાદી ઉપર અધિકાર થતો હતો. પરંતુ એસ્ટ્રિઆ અને સ્પેનનાં મહારાજે એકત્ર થાય, એ પણ બીજા રાજ્યોને પરવડતું ન હતું. ઉપરાંત બેવેરિઆના રાણા જેસે માતૃપક્ષથી સ્પેનની ગાદી ઉપર હક થતા હતા. તે નાને ઠાકર હોવાથી તેને સ્પેનનું રાજ્ય મળે તેમાં કોઈને વિરોધ ન હતો, એટલે વિલિયમે લુઈ પાસે એવી સંધિ કરાવી કે ચાર્લ્સને મૃત્યુ બાદ સ્પેનની ગાદી જોસેફને મળે, અને ફ્રાન્સ તથા ઐસ્ટ્રિઆના રાજાઓને સ્પેનના વિદેશી રાજ્યમાંથી થોડે થોડો ભાગ મળે. આ સંધિને પ્રથમ વિભાગ સંધિ' કહેવામાં આવે છે.
આ સંધિ થયા પછી થડા સમયમાં જોસેફ મરણ પામે, એટલે સત્તાતુલા સંભાળવાની ગુંચવણ ચાલુ રહી. હવે એવી સંધિ કરવામાં આવી, કે ઓસ્ટ્રિઆના આર્ચ ડયૂક ચાર્લ્સને સ્પેનનો રાજા બનાવવો, અને લઈને નેપલ્સ, સિસિલી, અને મિલાન આપી સત્તાતુલા સાચવવી. આ સંધિ દ્વિતીય વિભાગ સંધિ કહેવાય છે. આ સંધિ સ્પેનથી ગુપ્ત રીતે કરવામાં આવી હતી. વાત બહાર આવતાં સ્પેનિઆડે ખૂબ રોષે ભરાયા. તેમણે આ સંધિ સ્વીકારી નહિ, અને ઇ. સ. ૧૭૦૦માં ચાર્લ્સ મરણ પામ્યો. તે લુઈના પૌત્ર આજ્ના ડયૂક ફિલિપને ઉત્તરાધિકારી નીમત . દ્વિતીય વિભાગ સંધિનો ભંગ કરી લુઈએ આ વારસો સ્વીકાર્યો. તેણે અભિમાનથી કહ્યું કે હવે ફ્રાન્સ અને સ્પેનની વચ્ચે પીરીનીઝ પર્વત નથી; મતલબ કે આંખે પશ્ચિમ યુરેપ ફ્રાન્સને છે. આટલેથી વિલિયમની યોજના પડી ભાગી. લુઈ
તે સમયે પેન ઉપરાંત બેલજીયમ, નેપલ્સ, સિસિલી, મિલાન અને સ્પેનિશ અમેરિકા એ સર્વ સ્પેનના રાજાની આણમાં હતાં.