________________
નવી : "
દૃષ્ટિ હતાં; અસ્થિરતા અને અશાંતિના સમયમાં તેણે ચતુરાઈ, નિષ્પક્ષપાતપણું. અને મુત્સદ્દીગીરીથી શાંતિ અને વ્યવસ્થા આપ્યાં, અને રાજ્યબંધારણને દઢ કર્યું. તે કુશળ સેનાપતિ હતો. આ સદેવવિથી પરાજયને
ખ્યાલ કરતા નહિ. અણીને વખતે ધૈર્ય અને સમયસૂચકતાથી તે એવા તેડ કાઢતો, કે તેની અસાધારણ શક્તિ જોઈ ને લેકે આશ્ચર્ય પામતા. યુદ્ધમાં, ગંભીર પ્રસંગમાં, કે આપત્તિકાળમાં તેના આનંદી અને ઉત્સાહપ્રેરક સ્વભાવથી અનેક નબળા આત્માએને હુફ રહેતી.
વિલિયમની અભિલાષાઓ હવે વિલિયમની રાજનીતિ અને તેના આશયે તપાસીએ. આંતર કલહથી અંગ્રેજો
વિલિયમ જો પરદેશી મામલા ઉપર ધ્યાન આપી શકતા નહિ. ફ્રાન્સને આ બાબત ગમતી હતી, અને ૧૪મા લુઈની રાજ્યતૃષ્ણાને હદ ન હતી. તેનાં સૈન્ય પરીનીઝ, ઈટલી, કે દાઈનના પ્રદેશો ઉપર ફરી વળી સર્વત્ર કેર વર્તાવતાં હતાં. રાઈનના કિનારા સુધી ફ્રાન્સની ઉત્તર અને પૂર્વ સીમા વધારવાના હેતુથી હર બહાને લુઈ મધ્ય યુરોપ અને હોલેન્ડ જોડે યુદ્ધ કરતો. પરંતુ વિલિયમ કંઈ પણ ઉપાયે લુઈની સત્તા તેડવા મથતો હતો, તેથી ઈગ્લેન્ડના નૌકાબળ અને સાધનોથી લઈને હંફાવવાની આશાએ વિલિયમે રાજપદ સ્વીકાર્યું, એટલે તેને સ્વદેશપ્રેમ કાયમ હતો. વિલિયમને મન ઈલેન્ડનું રાજ્ય હોલેન્ડની સ્વતંત્રતાના રક્ષણનું સાધન હતું. પોતાના તેર વર્ષના અમલમાં વિલિયમે જેમ્સ અને તેના અનુયાયીઓનું પ્રાબલ્ય ન થવા પામે, અને પોતાની સત્તા હૃઢ થાય એવા ઉપાય લીધા.