________________
૧૮૩ ડેબીએ યોજેલા લસથી નક્કી થયું, કે ચાર્લ્સ અને યોર્ક પછી ગાદીએ આવનાર રાણીને પતિ પ્રોટેસ્ટન્ટ છે, અને તે લઈને કટ્ટ વિરેધી. છે. એથી લુઈ પણ ચેત્યો, અને તેણે હોલેન્ડ જોડે સંધિ કરી. ફ્રાન્સમાં રહેતે ઈગ્લેન્ડને એલચી ડેબીને વિરેધી હતી. તેણે રાજાના હસ્તાક્ષર અને ડેબીની સહીવાળે પત્ર પાર્લમેન્ટને બતાવ્યો, તે જોઈ સભ્ય દિડમૂઢ થઈ ગયા. આથી તો ઈગ્લેન્ડની રાજવટ પરવારી ગઈ. શું પાર્લમેન્ટ પરદેશી રાજાની ટુકડાખાઉ છે? અને તે પરદેશી રાજા પણ કેથેલિક ? તેને રોષ ડેબી પર ઉલટ; તેના પર રાજદ્રોહને આરેપ આવ્યું, અને રાજાએ ઇ. સ. ૧૬૭૯માં પાર્લમેન્ટને વિસર્જન કરી. નવી પાર્લમેન્ટમાં વિરોધીઓ ભરાયા હતા, એટલે તેમણે ડેબીની તપાસ શરૂ કરી. ડેબીએ બચાવ કર્યો કે હું માત્ર રાજાની આજ્ઞાનો અમલ કરનાર છું, પણ તેનું કહેવું સાંભળે કેણ? તે ટાવરગઢમાં વગર તપાસે કેટલાંક વર્ષ સુધી સડી રહ્યો. હવે રાજાનાં કાર્યોમાં મંત્રી જવાબદાર છે, એ નિયમ પાર્લમેન્ટની નીતિમાં દાખલ થયે.
મિશ કાવતરું: ચાર્લ્સ ફ્રાન્સની સહાયથી પ્રજાની સ્વતંત્રતા હરી લેવાનો છે, એવો તેની પ્રત્યે અવિશ્વાસ પેદા થયો. રોમન કેથેલિકના નામથી લેકે ત્રાસી જતા હતા. ટાઈટસ એટસ નામના સ્વાર્થસાધુ પાદરીએ આ સ્થિતિનો લાભ લેવાનો વિચાર કર્યો. તેણે કંઈક ખાનગી વાતચીત સાંભળીને તેમાંથી જબરું ઘમંડ મચાવ્યું. તેણે જાહેર કર્યું કે કેથલિક
કોએ છૂપું કાવતરું રચ્યું છે; તેઓ રાજાને મારી નાખી ને ગાદી આપવાનું છે, અને ફાન્સથી લશ્કર આણી સુધારક પંથની જડ ઉખેડવાના છે. તેણે ન્યાયાધીશ આગળ આ વાત સોગન ઉપર નેંધાવી. થોડા દિવસમાં તે ન્યાયાધીશનું ખૂન થયું, એટલે લોકોએ માન્યું કે એ તે કેથલિકેનું કારસ્તાન. લંડનમાં ભય અને ત્રાસ વ્યાયાં. રાતદિવસ હથિયારબંધ સિપાઈઓ પહેરો ભરવા લાગ્યા, તે પખાનું ગોઠવાયું, અને ઠેરઠેર લશ્કરી ચુકી બેસી ગઈ. કોઈ પ્રોટેસ્ટન્ટ બએ બંદુક વિના નીકળે નહિ. ઘણું પ્રોટેસ્ટન્ટ આ વાતને ખરી માનતા, અને શેફટરી તથા તેના મિત્રે તેની ત જાગતી રાખતા. તેમને રાજા વિરુદ્ધની લડતમાં આવાં પાખંડથી મદદ