________________
૧૮ આગે શહેરના મેટા ભાગને ખાખ કરી નાખે. આવી દશામાં ઈંગ્લેન્ડ યુદ્ધ કરતાં સંધિને માટે તૈયાર હતું, એટલે બ્રેડ મુકામે સંધિની વિષ્ટિ ચાલવા લાગી. ડચ લોકો પણ સંધિ કરીને લઈને જીવલેણ પંજામાંથી છૂટવા તૈયાર હતા. ચાર્સને એટલું જ જોઈતું હતું. તેણે યુદ્ધ નહિ થાય એમ ધારી ખલાસીએ કમી કર્યા અને વહાણેને બંદરમાં બોલાવી લીધાં. એથી વલંદા જેર પર આવ્યા. તેમનો એક કાલે ટેમ્સ નદીમાં આવી પહોંચ્યો, અને તેણે કેટલીક મનવારે ડુબાડી દીધી. પછી તેમણે ટેમ્સને ઘેરે નાખ્યો. લેકને કોલસાની તંગી પડવા લાગી; પણ વલંદાઓની તોપોના અવાજ બજારમાં સંભળાવા લાગ્યા, ત્યારે લેકે અતિશય ગભરાયા. હવે અંગ્રેજે સંધિની ઉતાવળ કરવા લાગ્યા, એટલે ઈ. સ. ૧૬૬૭માં બ્રેડાની સંધિ થઈ. અંગ્રેજોને
ન્યૂ એમસ્ટમ (ન્યૂયોર્ક) મળ્યું, અને વલંદાઓએ મસાલાના ટાપુઓ અને ઈસ્ટ ઈન્ડિઝ રાખ્યાં.
કલેન્ડનના કારભારને અંતઃ કેટલાક સમયથી પ્રજામાં અને પાર્કમેન્ટમાં મુખ્ય મંત્રી કલેન્ડન પ્રત્યે અસંતોષ વ્યા હતા. વિજયચિહ્ન
જેવા ડક્કને રાજાએ વેચી નાખ્યો, તેથી પ્રજાનું અભિમાન ઘવાયું હતું. રેમ્સ નદીમાં આવીને પરદેશી કા ઘૂરકાવી જાય, એ પણ અંગ્રેજોથી સહ્યું જતું ન હતું. બેડાની સંધિને તેઓ હીચકારી ગણતા હતા. આ બધાને માટે લેકે પ્રધાનને જવાબદાર ગણતા હતા. દરમિઆન યુદ્ધ માટે આપેલાં નાણાંનો હિસાબ માગવામાં આવ્યો, ત્યારે કલેરન્ડન બોલ્યો કે રાજાનું ખર્ચ જોવાનો પ્રજાને અધિકાર નથી. આ સમયે લેવાયકા ચાલી કે રાજા પાર્લમેન્ટ વગર કારી કે સ્નાનાદિ કાર્ય માટે બેદરકારી હતી. આથી મરકીએ ઘર ઘાલવું. ઈ. સ. ૧૬૬૫ની મહામારી ભયંકર થઈ પડી. એકજ દિવસમાં ૧,૫૦૦ માણસે મરણ પામ્યાં, અને શહેરમાં સ્મશાન જેવો સૂનકાર થઈ ગયો. રાત્રિની નીરવ અને ભયંકર શાંતિમાં “શબ લાવો શબ” એ હૃદયભેદક પિકાર પડે. આશરે એક લાખ માણસના જાન ગયા પછી મહામારી બંધ પડી. બીજે વર્ષે શહેરમાં લાગેલી આગ પાંચ દિવસ સુધી રહી. એથી લોકોના જાનમાલની હાનિ થઈ, અને શહેરનો મોટો ભાગ ભસ્મીભૂત થઈ ગયો. પરંતુ એથી મરકીને રગ બળી ગયો. નવા શહેરનાં મકાનો ઈંટ, પત્થરનાં બંધાયાં, રસ્તા પહોળા થયા, અને શહેરનું આરોગ્ય જળવાય તેવા ઉપાયો લેવામાં આવ્યા