________________
૧૫૫
ખાતર પેાતાનો કામધંધા મૂકીને આવેલા ભક્તિશીલ અને સ્વદેશાભિમાન્દ ના હતા; એટલે તેમણે વીખેરાઈ જવાની ના પાડી, અને માગણીઓ કરી કે અમારા ચડેલા પગાર અમને પૂરેપૂરા મળવા જોઈ એ, ધાર્મિક બાબતે - માં સંપૂર્ણ છુટાપણું મળવું જોઇએ, અને અમારા મૃત્યુ પછી અમારાં સ્ત્રીપુત્રાના ભરણપોષણની પાર્લમેન્ટે વ્યવસ્થા કરી આપવી જોઈએ. પાર્લેમેન્ટમાં આ પ્રમાણે બે પક્ષ પડી ગયા; એક પક્ષમાં ક્રમ્બેલ જેવા નિરંકુશવાદી સૈન્યનો પક્ષ લેનારા, અને ખીજામાં પ્રેસ્મિટિરિયન પંથી. આ પ્રેસ્ટિટિરિયન પંથીઓને પોતાનો પંથ ફેલાવી ચાર્લ્સની જોડેના યુદ્ધથી ઉત્પન્ન થએલી સ્થિતિનો તાડ આણવાનો જશ ખાટી જવાનો વિચાર હતા, અને તેથી ચુસ્ત પ્યૂરિટન સૈનિકાને ધર્મષ્ટ માગવી પડી હતી.
આ સમયે ત્રીજો પક્ષ સ્કાટ લેાકેાનો હતા, અને રાજા તેને શરણે થયેા હતેા. ચાર્લ્સ સ્ટૅટલેન્ડ અને ઈંગ્લેન્ડમાં પ્રેસ્ટિટિરિયન પંથને સહાય આપવાની હા પાડી હેાત, તે તેએ તેને મદદ આપત; પરંતુ ચાર્લ્સે તેમ કરવાની ના પાડી, એટલે સ્કાટ લેાકેાએ પાર્લમેન્ટ જોડે વિષ્ટિ ચલાવી, અને ખર્ચના ૪,૦૦,૦૦૦ પૌન્ડ લઈ રાજકેદીને પાર્લમેન્ટને હવાલે કર્યાં. ચાર્લ્સન હામાખીના કિલ્લામાં કેદમાં રાખવામાં આવ્યા, ૪. સ. ૧૬૪૬.
ચાર્લ્સે કેદમાં રહીને પણ પાર્લમેન્ટમાં પડેલી ફૂટનો લાભ લેવા ધાર્યું.. તેણે પાર્લમેન્ટના પ્રેસ્બિટિરિયન પક્ષ જોડે વિષ્ટિ ચલાવવા માંડી; પણ લશ્કરને આ વિષ્ટિની ખબર પડી ગઈ, એટલે ટેમ્સના૧ કિનારા પર આવેલા હેમ્પટન કાર્ટ મહેલમાં રાજાને પૂરી દીધા. ચાર્લ્સે લશ્કરની વર્તણુક વિષે પાર્લમેન્ટ પાસે ફરિયાદ કરી બંને પક્ષ વચ્ચેનેા કલેશ ઉત્તેજિત કર્યાં. રજુ કરી, અને જાહેરનામું પ્રસિદ્ધ
હવે લશ્કરે કેટલીક માગણીઓ
૧. રાજાને પકડવા જનાર કાર્નેટ જોઈસ નામે સેનાપતિએ કિલ્લામાં જઈ રાજાને કહ્યું, કે “કાલે સવારે આપણે ચાલવું છે, માટે તૈયાર થઈ રહેજો.” ચાર્લ્સે તેની પાસે. પેાતાને પકડવાનો હુકમ જોવા માગ્યો, ત્યારે “આ રહ્યો હુકમ” કહી જોઇસે પેાતાના લશ્કર તરફ આંગળી કરી. રાજા હસતા હસતા ખેાલ્યો, “વાહ ! તમારા હુકમના અક્ષરે ચોકખા અને જલદી વંચાય તેવા છે.”