________________
જોડાયા, વળી તે માત્ર પગારના લેભે નહિ, પણ ધર્મની લાગણીથી. તેઓ ધર્મ અને વૈરાગ્યની ગંભીર વૃત્તિવાળાં હતા. છાવણીમાં રાત્રે ઈશ્વર
સ્તવન, ભજન, અને ધાર્મિક વ્યાખ્યાને થતાં; ઈશ્કની લાવણું, ખ્યાલ, ટપ્પા, જુગાર, મારામારી કે શરાબીનું તે નામ ન મળે; અને તેમનો ઉત્સાહ તો અજબ તરેહને હતો ! આ સેનાએ કઈ શત્રુ પાસે નમતું આપ્યું નહોતું. ધાર્મિક ઝનુનથી પ્રેરાઈ આ નવા સિપાઈએ વિજય મેળવતા ગયા, અને જે કોઈ તેમની સામે થાય તેને છુંદતા ગયા. યુદ્ધનો દિવસ એટલે તેમને મન આનંદ અને વિજય દિવસ છતાં તેમની નીતિ અને ઈશ્વર તરફને ડર અજબ હતાં. લડાઈ પછી લૂંટ ચલાવી પારકાને માલ તેમણે પડાવ્યો નથી, અથવા સ્ત્રીઓને કે નિર્દોષને તેમણે રંજાડયાં નથી. સાદ અને વિચિત્ર પોશાક પહેરીને આ ભક્તસેના જ્યારે બીજા પર ધસારે કરે, ત્યારે બાઈબલનું કોઈ સુભાષિતજ બેલાતું હોય!
ધાર્મિક ભેદઃ આ સમયે પાર્લામેન્ટમાં બે ધાર્મિક પક્ષ ઉભા થયા. ઈ. સ. ૧૬૪૫ના જૂનની ૧૦મી તારીખે ધર્માધ્યક્ષ લડને શિરચ્છેદ કરવામાં આવ્યું, ત્યારથી આ બે પક્ષોને ભેદભાવ સ્પષ્ટ થયું. મ્યુરિટન પક્ષમાં એક નાને પણ ધીમે ધીમે વધતો જતો નવો પક્ષ ઉમે થયે. એ પક્ષને લાગ્યું કે પ્રેમ્બિટિરિયન પંથ એપિપલ પંથને વિરોધી છે. આ પક્ષને નિરંકુશવાદી (Independents) કહે છે. તેઓ માનતા કે રાજાએ ધર્મસહિષ્ણુતા રાખવી જોઈએ, અને ધર્મની બાબતમાં રાજ્યને વચ્ચે પડવાની જરૂર નથી. ધીમે ધીમે આગળ વધતાં તેઓ એવા મત પર આવ્યા કે જેમ ધર્મમાં રાજા વિના ચાલે, તેમ સમાજમાં પણ શા માટે ન ચાલે? તેઓ માનતા હતા, કે વિગ્રહને અંત આણવા માટે ઉત્સાહપૂર્વક અને આનાકાની ક્ય વિના જેસબંધ યુદ્ધ કરવાની જરૂર છે, અને દેશમાં શાંતિ સ્થાપવાનો માત્ર એજ ઉપાય છે. આ પક્ષના અગ્રણી કેન્ડેલ હતો. આ મતને અનુસરીને જ તેણે મેન્ચેસ્ટરના ઠાકર વિરુદ્ધ પાર્લામેન્ટમાં ચર્ચા ઉપાડી હતી.
ઇ. સ. ૧૬૪૫. નવી સેના ઈ. સ. ૧૬૪૫ના મધ્યમાં રાજાને નેસ્ત્રી પાસે મળી. રાજપક્ષના સૈનિકોને આ સેનાની ખબર કે દરકાર નહોતી.