________________
૧૪૭
દૃક પક્ષા વચ્ચે હતું. આ બંને પક્ષનાં માસાનું વર્ગીકણુ કરતાં એમ કહી શકાય, કે અમીર અને ગૃહસ્થા તથા તેમના આશ્રિતા રાજપક્ષમાં ભળ્યા હતા; સામાન્ય શહેરીઓ, વેપારીઓ, અને ખેડુતા પ્રજાપક્ષમાં રહ્યા હતા. ધર્મગુરુઓ પણ પ્યૂરિટન લેાકાની વિરુદ્ધ હાવાથી રાજપક્ષમાં ભળ્યા. વળી રાજા-રાણી કંકિ અંશે રામન કેથેલિક વલણ ધરાવતાં હતાં, એટલે ક્થાલિક લાકા રાજા જોડે ભળ્યા; છતાં કેટલાક અમીરા અને ગૃહસ્થા જે પ્યૂરિટન ધર્મના અડગ અનુયાયીઓ હતા તે પ્રજાપક્ષમાં ભળ્યા; એકંદરે ધણા શહેરી અને વેપારીએ એકનિષ્ઠાથી રાજપક્ષમાં રહ્યા. આ પક્ષ કાઈ રાજકીય સિદ્ધાંત પ્રમાણે પડચા ન હતા; કેમકે તે સમયની પરિસ્થિતિ વિષે ધણા માણસાના વિચારે ચુપચુ હતા. આ પક્ષે માત્ર ધાર્મિક દૃષ્ટિએ જોવા જેવા છે. પ્રજાપક્ષના ચુસ્ત અનુયાયી, ચુનંદા લડવૈયા, અને ચતુર આગેવાને-આ સર્વ ઉત્સાહી અને અડગ પ્યૂરિટને હતા. ભૌગોલિક દૃષ્ટિએ લંડન ઉપરાંત દક્ષિણ અને પૂર્વનાં પરગણાં રાજપક્ષમાં હતાં. રાજપક્ષના મળતીઆ ‘ધોડેસવાર’ (Cavaliers) કહેવાયા,અને પ્રાપક્ષના મળતીઆ ‘સૂંડિયા’ (Roundheads) કહેવાયા. રાજાના અમલ દરમિઆન નૌકાસૈન્યની દરકાર કરવામાં આવતી નહિ, અને ખલાસીઓને કે અમલદારોને પૂરા પગારે મળતા નહિ, એટલે તે પ્રજાના પક્ષમાં રહ્યા. રાજાના પરદેશી મિત્ર તેને મદદ કરી શકે તેમ ન હતું. આ નૌકાસૈન્યે હલ્લ અને પ્લીમથમાંથી પાર્લમેન્ટને લડાયક સરંજામ આણી આપ્યા. વળી પાર્લમેન્ટના અમલદારોએ જકાત અને કર ઉધરાવવાનું કામ ઉપાડી લીધું, એટલે ધનની ઉપણ રહી નહિ. રાજા પાસે નાણાંની તંગી હતી; તેની રાણી ઝવેરાત લઈ તે તેર્લેન્ડઝ ગઈ હતી, અને ત્યાંથી સામાન ખરીદી મેાકલતી હતી. તેના અનુયાયીએ પાસેની એક વર્ષની ઉપજ થઈ રહી, પણ તેમની પાસે જરઝવેરાત અને સાનાચાંદીનો માલ હતા. ભક્તિના આવેશમાં તેમણે મૂલ્યવાન વસ્તુઓ વેચીસાટીને રાજાને નાણાં કાઢી આપ્યાં, છતાં આ પ્રમાણે મળેલું નાણું કેટલા વખત ચાલે? પાર્લમેન્ટના લશ્કરમાં લડવાની આવડત વિનાના, અને અસ્ત્રશસ્ત્રના ઉપયોગથી અજાણ્યા, પણ ઉત્સાહના આવેગવાળા ભાડુતી માણસા હતા; તેના સરદારામાં ખાસ આવડત, ચતુરાઈ કે બહાદુરી ન હતી.