________________
૧૪૫
રાજાને કાને ઊડતી વાત આવી, કે પ્રજાપક્ષના આગેવાને રાણી ઉપર કંઈક તહેમત મૂકવા માગે છે. તેણે પોતાના વકીલને ફરમાવ્યું કે પિમ, હેલિસ, હેઝરિગ, હેમ્પાન વગેરે સભ્યો પર રાજદ્રોહનો આરોપ ઘડી કાઢે. રાણીએ રાજાને ભભેરીને કહ્યું, “જા, બાયલા, જા! એ મંડિયાને કાન પકડીને બહાર ખેંચી કાઢ.” ચાર પાંચ સિપાઈઓ લઈને રાજા આમની સભામાં ચાલ્યો (ઈ. સ. ૧૬૪૨), અને પ્રમુખની ખુરસી ઉપર બેસી પૂછ્યું કે પિમ વગેરે “પાંચ સભાસદો ક્યાં છે?” ચતુર પ્રમુખે. ઉત્તર આપે, “મહારાજ, આમની સભા આજ્ઞા કરે, તે વિના બીજું કઈ જોવા કે કહેવાને મારે આંખ કે જીભ નથી.” રાજાએ નજર ફેરવી જોયું, તે એ પાંચ સભ્યો ન મળે. “મારાં પંખીડાં ઊડી ગયાં છે” એવું કહીને ભેઠે પડેલે રાજા પાછો ગયે.
આપખુદીની પરિસીમાં આવી રહી. આજ સુધી કોઈ રાજાએ આવું કર્યું ન હતું. આમ કરવાથી મોટા પટ્ટાના કરારનો ભંગ થતો હતો. રાજાના, ગયા પછી સભામાં બૂમરાણ મચી. ‘અધિકાર અધિકારના પોકારે થઈ થઈ રહ્યા. ગમે તેમ થાય તે પણ એ પાંચ સભ્યોને રાજાને હવાલે સોંપવા નહિ, એવો નિશ્ચય થયો. વેસ્ટ મિસ્ટરની પાર્લામેન્ટ લંડન ગઈ, અને ત્યાં. તેનું કામકાજ ચાલવા લાગ્યું; કેમકે લંડનવાસીઓ પાર્લમેન્ટના પક્ષના અને દૃઢ નિશ્ચયવાળા હતા. પિમ આદિ પાંચ સભ્યોને પણ તેમણેજ આશ્રય. આપ્યો હતો, અને તેમને પકડવાને માટે રાજાએ કરલા પ્રત્યેક પ્રયત્નને તેમણે નિષ્ફળ કર્યો. આ સભ્ય પાર્લમેન્ટની સમિતિઓમાં કામ કરતા, અને અન્ય સભ્યોને પિતાની બુદ્ધિ અને શક્તિને લાભ આપતા. એક અઠવાડીઆ બાદ તેઓ સભામાં છડેચોક આવીને બેઠા. અત્યાચારથી ઉશ્કેરાએલા લેકે. રાજમહેલને ઘેરી લેવા લાગ્યા, તેમજ પોતાનો ગુસ્સે અને ધિક્કાર પ્રગટ કરવા લાગ્યા. રાજાએ જોયું કે હવે લંડનમાં રહેવામાં સલામતી નથી; વધારે વિલંબ થયે તે ગમે તે બહાને પણ પાર્લમેન્ટ તેને નજરકેદ રાખશે. તેણે પાટનગર છોડયું, અને અદાલતમાં કરેલાં કુકર્મોને જવાબ આપવાનેજ પાછો આવ્યું. રાણુ જરઝવેરાત લઈ પતિને માટે હથિયાર, દારૂગોળો વગેરે . મેળવવા નેધલેન્ડઝ તરફ ગઈ. '