________________
૧૩૪ અસ્ટર પરગણામાં એંટી સંસ્થાનીઓને વસાવ્યા. ઇ. સ. ૧૬૦૦માં આપાએલી ઈગ્લિશ ઈસ્ટ ઈન્ડિઆ ક્યુનિએ હિંદં જોડે પિતાને વેપાર ખીલવવા માંડ્યો. પરંતુ દેશના વિકાસમાં જેમ્સની રાજનીતિએ ખાસ ભાગ ભજવ્યો નથી. તેના આપખુદ અમલને અંતે રાજા પ્રજા વચ્ચે અંતર વધ્યું રાજાના દરબારની અનીતિથી પ્રજામાં તેને વક્કર ઘટી ગયે. તેના દરબાસ્ત્રી બેહદ બદલીથી પ્રજાને અંતરાત્મા કકળી ઉઠે. ટયુડરની પેઠે રાજ્ય ચલાવવા ઇચ્છતા જેમ્સમાં તેમની આવડત, કાબેલિયત, દીર્ધદષ્ટિ, કે મનોઅળ કંઈ ન હતું. જો કે તેની યોજનાઓ ચતુરાઈ ભરેલી હતી, પરંતુ મમતાના આવેશમાં પ્રજાને શું પ્રિય થશે તે જોવાની તેનામાં શક્તિ ન હતી; એટલે તેનું રાજ્ય નિષ્ફળ ગયું. તેનામાં વિદ્વત્તા હોવા છતાં તે અનુભવના બોધપાઠ શીખે નહિ. એથી કરીને જ તેના એક સમાલીને તેને “ The wisest fool in Christendom” કહીને તેના ગુણદોષનું યથાયોગ્ય. નિરપણ કર્યું છે.
પ્રકરણ રજૂ ચાર્લ્સ ૧લે ઈ. સ. ૧૬રપ-૧૬૪૯ આ ચાર્લ્સના ગુણદોષ તરણ ચાર્લ્સ ૨૫ વર્ષની વયે ગાદીએ આવ્યો, ત્યારે પ્રજાએ તેને હરખભેર આવકાર આપ્યો. તેનું ભવ્ય અને કદાવર શરીર, પ્રતાપી અને ગંભીર મુખમુદ્રા, શાંત સ્વભાવ, વિદ્યાકળા પર પ્રીતિ, અને ગૌરવશીલ રીતભાતને લીધે તેણે તેનાં મન હરી લીધાં તેનું ખાનગી જીવન તદન નિષ્કલંક હતું. તે સ્નેહાળ પિતા હતો. પરંતુ પિતાની પેઠે રાજાના ઈશ્વરી હકને માનતાં શીખ્યો હતે. રાજાઓ ભૂલ કરેજ નહિ, તેમની સત્તા અપરિમિત હોવી જોઈએ. અને દેશમાં રાજસત્તાજ સર્વોપરિ હોઈ શકે, એવી દઢ સંસ્કારે તેના મન પર પડી ગયા હતા, અને તેને આચારમાં મૂકવા માટે તે આતુર હતા તેનામાં બીજે માટે દેણ વચન ભગતે હs