________________
૧૩ર
જેમ્સ તેને જવાની રજા આપી, પરંતુ ધમકી આપી કે કોઈ પણ કારણસર પેનિઓર્ડો જોડે વિરોધમાં આવવું નહિ. રેલીને માટે આવી આજ્ઞા પાળવાનું અશક્ય હતું, છતાં તેનો ભંગ કસ્વાને નિશ્ચય કરીને જ તે સફરે નીકળે. તેને સેનાની ખાણ તો ન મળી, પણ સ્પેનિઆડે જોડે લડાઈ થઈ. સ્પેનના રાજાએ જેમ્સ પાસે ફરિયાદ કરી, એટલે નિર્બળ મનના રાજાએ સ્પેનના રાજાને ખુશી કરવાની આશાએ રેલી ઉપર રાજદ્રોહનો આરોપ મૂકી તેનો વધ કરાવ્યો, ઈ. સ. ૧૬૧૮.
જ લોકસત્તાની વૃદ્ધિ દરમિઆન જર્મનીમાં પ્રોટેસ્ટન્ટો અને કેથોલિક વચ્ચે યુદ્ધ થયું. પ્રજાના મનમાં એમ હતું, કે રાજાએ પ્રોટેસ્ટન્ટ પક્ષને મદદ આપવી જોઈએ. એથી રાજાએ નાણાંની મદદ માટે પાર્લમેન્ટ બોલાવી, ઈ. સ. ૧૬૨૧. પાર્લમેન્ટ રાજાની વીર વાણી સાંભળી નાણું આપવા તૈયાર થઈ. પરંતુ રાજાનો ઉત્સાહ નામનો જ હતો. પેન જોડે સગપણ થતાં આ યુદ્ધનો અંત સમજાવટથી લાવી શકાશે, એવો જેમ્સનો અંતર્ગત અભિપ્રાય હતા. લેકે ચેતી ગયા કે બધી વાતે નાણાં કઢાવવાની છે; એટલે રોષે ભરાઈને તેમણે દસ વર્ષના ગેરઅમલની ઝાટકણી કાઢી. તેમણે ઈજારા આપવાની, જકાત લેવાની, અને ગેરવાજબી કરો લેવાની રૂઢિ બંધ કરવાની રાજાને ફરજ પાડી. પછી સ્પેન જોડે લડાઈ કરવાની માગણી કરી અને યુવરાજને કોઈ પ્રોટેસ્ટન્ટ કન્યા જોડે વિવાહ કરવાનો આગ્રહ કર્યો. તે સાથે લાંચીઆ અમલદારને ટપોટપ શિક્ષા કરવા માંડી. પ્રસિદ્ધ ફિલસુફ અને વિદ્વાન ન્યાયમંત્રી સર ફ્રાન્સિસ બેકન જેવા રાજદ્વારી નર ઉપર લાંચ લેવાનું તહોમત આવ્યું, અને તેને દંડ કરી તેને કારાગૃહમાં પૂરવામાં આવ્યો. એક રોમન કેથલિક પેલેસ્ટાઈનના રાણની યુદ્ધમાં હાર થવાનું સાંભળી તેને વિષે કંઈક બોલ્યો, તે ઉપરથી પાર્લમેન્ટે તેને કેરડા મરાવ્યા, જીભમાં સાર પડાવ્યાં, અને કાનમાં ખીલીઓ ખાવી. સ્પેન જોડે સંધિ કરવાથી લાભ - ૧. આ યુદ્ધને પણ ત્રીસ વર્ષનો વિગ્રહ કહે છે. જેસનો જમાઈ પેલેસ્ટાઈનને
ક્રેડરિક પેટેસ્ટન્ટ પક્ષનો નાયક હતો. લોકમતનું જે જોઈને જેમ્સ થોડું સૈન્ય - જમાઈની વહારે મે કહ્યું તે ખરું, પણ કંઈ વળ્યું નહિ. એ
. .