________________
૧૨૧
૩. સમાજ
ત્રીસ વર્ષના વિગ્રહમાં અનેક અમીર કુટુંખાને નાશ થઈ ગયા. હવે શુરાતનનો જમાના ગયા, અને વ્યાપારઉદ્યોગના યુગ ખેઠા. આમ ધંધારાજગારમાં યુગપલટા થયા, એટલે લેાકેાની રહેણીકરણીમાં ફેરફાર થવા લાગ્યા. જુની ઢબનાં ધરામાં નવી કળા અને નવું શિલ્પ દાખલ કરવામાં આવ્યાં. ધુનિક લેાકેા ઈંટ અને લાકડાનાં રાનકદાર મકાન બંધાવી અંદર નકસીકામ કરાવવા લાગ્યા. બારીઓમાં રેશમી પડદાનેા અને ધરમાં ચાંદી તથા ખીજી ધાતુનાં વાસણાનો છૂટથી ઉપયેગ થવા માંડયા. પરાળની પથારી અને લાકડાનાં આશીકાંને બદલે ભપકાદાર છત્રપલંગ, સુંવાળાં એશીકાં, અને રૂની નરમ તળાઈ એ વપરાવા લાગી. મકાનની આસપાસ સુંદર બાગ બનવા લાગ્યા. ગરીબોનાં ધરામાં પણ લાકડાં અને ચુનાને ઉપયોગ થવા લાગ્યા, અને બારી
એમાં કાચ જડાવા લાગ્યા.
હજી રસ્તા ગંદા અને સાંકડા હતા. પરગામ જવાને માટે લેાકેા ઘોડાનો ઉપયાગ કરતા. રાજા અને દરબારીઓ સિવાય કાઈ ગાડી વાપરતું નહિ. ફેરીઆ ગામેગામ ફરી માલ વેચતા, અને વર્તમાનપત્રોની ગરજ સારતા. લેાકેા તેમની પાસેથી નવી નવી ખબર જાણી શકતા.
આમા હેનરી અને લિઝાબેથના સમયમાં લોકેામાં ફક્કડ કપડાં પહેરવાના શાખ વધ્યા. કહેવાય છે કે ઇલિઝાબેથ પાસે ત્રણ હજાર કપડાંની જોડ હતી. આ જોઇ લાકા પણ કિંમતી અને ભાતભાતનાં વસ્ત્રો પહેરવા લાગ્યા, અને ખૂબ દારૂ વાપરવા લાગ્યા. નાચરંગ, જલસા, અને મહેફિલને પાર ન રહ્યો. આમ ઈંગ્લેન્ડમાં લક્ષ્મીની છેાળ ફરી વળી, અને સમૃદ્ધિની અસરથી સામાજિક જીવનમાં ફેરફાર થવા માંડયા.
૪. સાહિત્ય
ટટ્યુડરસમય નવજીવનના હતા. એ યુગમાં સાહિત્યની વસંત ખેડી. એ જમાનાના સાહિત્યના જોટા મળવા મુશ્કેલ છે. નવાં પરાક્રમે, નવાં સાહસેા, નવી સફા, નવી નવી પ્રજાના સંસર્ગ અને પરિચયને લીધે અંગ્રેજોનું જીવન સમૃદ્ધ થયું, અને તેમની કલ્પના પ્રફુલ્લ થઈ. અંગ્રેજી ભાષામાં સુંદર