________________
૧૧૨
રોધી કાઢ્યા, અને તે કાલિકટ બંદરે જઈ પહોંચ્યા. આથી પોર્ટુગલને વેપાર વધ્યા. લગભગ એક સૈકા સુધી લિસ્બન બંદરેથી સંખ્યાબંધ વહાણા હિંદુસ્તાન જવા ઉપડતાં, અને ખૂબ નાણું અને માલ લઈ આવતાં. લિસ્બન યુરેાપનું મુખ્ય બંદર અને વેપારનું મથક બન્યું.
પરંતુ આ રસ્તા લાંખા અને ભયભરેલા હોઈ રસ્તામાં વહાણાને તાકાન નડતાં. એવામાં કેટલાકે એવી ગણતરી કરી કે પૃથ્વી ગાળ હોય તે આટલાંટિક મહાસાગર ઓળંગીને હિંદુસ્તાન પહેાંચી શકાય. એ રસ્તે અમેરિકા ખંડ હશે, એવા ખ્યાલ કાઈ ને કયાંથી હોય? યુરોપી લેાકેા એમ માનતા કે આટલાંટિક મહાસાગર પૂરા થતાં એશિઆ ખંડ આવવા જોઈ એ. કેટલાક એમ માનતા કે પાિસિક મહાસાગર એળંગીને હિંદુસ્તાનમાં પહોંચી શકાશે. ઇ. સ. ૧૪૯૨માં કોલંબસે આટલાંટિકને રસ્તે હિંદુસ્તાન જવાને વિચાર કર્યાં. તેના સાહસ માટે સ્પેનનાં રાજારાણીએ તેને મદદ આપી. ત્રણ નાનાં વહાણા, ૧૨૦ ખલાસીએ, અને એક વર્ષ ચાલે એટલે ખારાક લઈ ને તે ઉપડયા. તેનું સાહસ અદ્દભુત હતું. તરેહવાર વાતા ચાલતી કે આટલાંટિકમાં જનારાં વહાણો પાછાં આવતાં નથી, અને તેમનું શું થાય છે તે કેાઈ જાણતું નથી; છતાં એ સાહસિક નાવિક અજાણ્યા સાગરની સફ઼ે ચાયો. આટલાંટિકમાં વાતા નૈઋણ કાણુના પવનથી ધકેલાઈ ને કાલંબસનાં વહાણા પશ્ચિમ દિશામાં આગળ વધ્યાં. કાલંબસે માન્યું કે આ પવન આપણને હિંદુસ્તાન પહોંચાડશે, પણ તે ખાટું હતું. એથી ખલાસીઓએ બળવા કર્યાં, પણ કાલંબસે તેમને શાંત પાડયા. અનેક સંકટા સહન કરીને પાંચ અઠવાડીઆં પછી તે કેટલાક ટાપુ પાસે જઈ પહોંચ્યા. કાલંબસે તે ટાપુઓને વેસ્ટ ઇન્ડિઝ’ એવું નામ આપ્યું. આ શેાધના સમાચારથી યુરેાપના લેાકેામાં ખળભળાટ થયા, અને અનેક કાફલાએ સફર કરવા તૈયાર થયા.
નવા કાફલાઓમાં ઈંગ્લેન્ડના એક કાફલા હતા. ઇ. સ. ૧૪૯૭માં જાન અર નામનો વેપારી પાંચ વહાણ લઈને નવા દેશેની શોધ અર્થે નીકળી પડયે તેને વિચાર વાયવ્ઝ ક્રાણુને માર્ગે હિંદુસ્તાનમાં પહેાંચવાનો હતા. એ રસ્તે જતાં તેણે લાખાર અને ન્યૂફાઉન્ડલેન્ડના ટાપુઓ શોષી