________________
૩. જર્મન સાધુ લ્યુથર પિપ સામે થયે. તેના અનુયાયીઓ પેટેસ્ટન્ટ–સધાર
કહેવાયા. પોપના અનુયાયીઓ રેમન કેથલિક ગણાયા. ૪. ઈંગ્લેન્ડમાં રાજકીય હેતુથી ધર્ણોદ્ધાર દાખલ થયે. હેનરી ૮માને રાણી કેથેરાઈન
જેડે છુટાછેડા કરવા હતા, એટલે તેણે પિપનું આધિપત્ય કાઢી નાખ્યું. છતાં ધર્મના સિદ્ધાંતમાં ફેરફાર થયો નહિ. એડવર્ડ ૬ઠ્ઠાના સમયમાં પ્રેટેસ્ટન્ટ ધર્મને ફેલાવો થયો, અને પોપની વિરુદ્ધ કાયદા થયા. કેથોલિક માર્ગીઓને કેદમાં પૂરવામાં આવ્યા. હવે ઈંગ્લેન્ડ પ્રોટેસ્ટન્ટ દેશ થયે. મેરીએ ગાદીએ આવી કેથોલિક ધર્મની ફરી સ્થાપના કરી પાપનું ધર્માધિપત્ય
સ્વીકાર્યું. તેણે ધર્મને નામે ઘણું જુલમ ર્યા. ૭. ઈલિઝાબેથે મધ્યમ માર્ગ સ્વીકાર્યો. ઉદ્દામ કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ બને ઉપર
તેણે સખતાઈ કરી. પ્રાર્થનાપોથી અને ઉપાસનાવિધિ પેટેસ્ટન્ટ પંથનાં રાખી
કેથલિક લોકોને ખુશ કરવા માટે તેમાં થોડા ફેરફાર કરાવ્યા. તેણે પાપનું - ધર્માધિપત્ય કાઢી નાખી સ્વતંત્ર ધર્મખાનું સ્થાપ્યું.
નીચેની તારીખે યાદ રાખો ઈ. સ. ૧૪૫૩–તુર્ક લોકોએ સ્ટેન્ટિનેપલ જીત્યું. , ૧૪૭૭–કેસ્ટને ઈંગ્લેન્ડમાં મુદ્રણકળા દાખલ કરી.
૧૫૧૯–લ્યુથરે ક્ષમાપત્રો વિરુદ્ધ પોકાર ઉઠાવ્યો. , ૧૫૨૧–પાપે હેનરીને “ધર્મરક્ષક એવો ઈલકાબ આપ્યો. • , ૧૫૩૪– હેનરીએ ધર્માધિપત્ય જાહેર કર્યું. , ૧૫૩૬–નાના મઠો બંધ કરવામાં આવ્યા.
૧૫૩૯હેનરીએ છ કલમેને કાયદો કર્યો. ૧૫૪૯–ધર્મએક્યને કાયદો થયો.