SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ <<] આયુર્વેદના ઇતિહાસ પછી સેંકડો વર્ષાં સુધી ચાલેલ શાષખાળ, સુધારાવધારા અને ગ્રન્થાના પ્રતિસંસ્કાર પછી વર્તમાન સંહિતા તૈયાર થઈ છે અને એ વૈદિક ભાષામાં નહિ પણ પાણિનિ પછીની મહાભારતીય ભાષામાં છે.૧ ચરક-સુશ્રુતના સમયનિયની ચર્ચામાં એક વસ્તુ નોંધવાની બાકી રહે છે તે અહીં જ નાંધવી ઠીક છે. ચરકસંહિતામાં વૈદ્યક કા માટે પ્રશસ્ત નક્ષત્ર, કરણ, મુર્દાદ્દિને ઉલ્લેખ છે, પણ તેમાં વારના ઉલ્લેખ નથી; અને શંકર બાલકૃષ્ણ દીક્ષિતના ભારતીય જ્યેાતિઃશાસ્ત્ર' (પૃ. ૧૩૯ )માં વારનાં નામેાની શકકાળ પહેલાં એક હજાર વર્ષોં ઉપર ભારતમાં પ્રવૃત્તિ થઈ છે. એવું વિધાન છે, તેનેા હવાલા અગ્નિવેશતંત્રના સમયનિ યમાં શ્રી જાદવજી ત્રિકમજી આચાયે આપ્યા છે.ર પણ એ વિદ્વાન પાતે જ પ્રતિસ ંસ્કૃત ચરકસહિતાને એટલા જૂના કાળમાં નથી મૂકતા. વળી ભાગવત જેવા ઈ. સ. ચાચા શતક પછીના ગ્રન્થમાં પણ વારા ઉલ્લેખ નથી તથા શ. બા. દીક્ષિતની કાલગણના એ વિષયમાં સમાન્ય નથી, એટલે એકલી એ દલીલ નિર્ણાયક ન થઈ શકે. અનેક પ્રકારના ખીજા બળવાન પુરાવાઓ વડે ચરક-સુશ્રુતાદિ સંહિતાઓના સમય વિશે ઉપર નિ ય કર્યાં છે, તેમાં ફેરફાર . કરવા માટે જ્યાતિષના ઋતિહાસની આ દલીલ પૂરતી પ્રબળ મને લાગતી નથી. ગાય, અધૂ અને હાથીનુ વૈદ્યક આ દેશમાં ખેતી ચાલુ થઈ ત્યારથી ગાય અને ખળનું મહત્ત્વ આર્યંના ધ્યાનમાં આવ્યું હતું. બ્રાહ્મગ્રન્થાના કાળમાં ધણી ગાયા ૧. મહાભારતનું હાલનું સ્વરૂપ . સ, ચાયા શતકથી અર્વાચીન નથી, ૨. જુઓ ચરકસંહિતા (નિ. સા, પ્રે.ની આવૃત્તિ)માં એમને ઉપાદ્ધાંત તથા આ.વિ., પુ. ૧૮, પૃ. ૧૦૭, ૩. એજન, પૃ. ૧૧૦,
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy