SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ ] આયુર્વેદના ઇતિહાસ સુશ્રુત—સુશ્રુતને વિશ્વામિત્રના પુત્ર સુશ્રુતસ ંહિતામાં જ કહ્યા છે.૧ રામાયણમાં, યોગવાસિષ્ઠમાં અને પુરાણામાં વિશ્વામિત્ર ઋષિને ઉલ્લેખ મળે છે. રામચન્દ્ર ત્રેતાયુગમાં થઈ ગયા હોવાથી એ વિશ્વામિત્રને પણ ત્રેતાયુગના માનવા પડશે. બીજા એક હરિશ્ચન્દ્ર રાજનું સસ્વ હરનાર વિશ્વામિત્રની કથા મહાભારતાદિમાં મળે છે. તેથી કયા વિશ્વામિત્રના પુત્ર આ સુશ્રુત એ કર્ણિક અંધારામાં છે એમ કવિરાજ ગણુનાથ સેન કહે છેર તે સાચું છે. એક ખીજા વૈદ્યક તન્ત્રકાર વિશ્વામિત્રનું નામ પણ જૂના ટીકાકારાએ કરેલા ઉતારામાંથી મળે છે. આ વિશ્વામિત્રને તેા ઉપલા સુશ્રુતપિતા વિશ્વામિત્રથી જુદા તથા પાછળના, કવિરાજ ગણુનાથ સેન કહે છે તેમ, માનવા પડશે. વિશ્વામિત્રના પુત્ર નહિ પણુ શાલિહેાત્ર મુનિના પુત્ર એવા એક સુશ્રુતના ઉલ્લેખ અવૈદ્યકમાંથી મળે છે અને અગ્નિપુરાણમાં ગાય, ઘેાડા અને હાથીઓના વૈદ્યકતા ઉપદેશ પણ ધન્વન્તરિએ જ સુશ્રુતને કર્યાં હતા એમ કહેલું છે. પણ આ વાત એ સિવાય ખીજા પુરાણમાં નથી. સુશ્રુતસ ંહિતાના સુશ્રુતને સમય તે ધન્વન્તરિના ઉપર નક્કી કરેલા સમયની નજીક જ માનવા પડશે. નાગા ન—સુશ્રુતસંહિતાને વારંવાર પ્રતિસ ́સ્કાર થયા છે અને ડૅલ્લન નાગાર્જુનને પ્રતિસંસ્કર્તા કહે છે એ ઉપર નાંધ્યું જ છે. હવે આ `પ્રતિસ’સ્કર્તા નાગાર્જુનના સમયને વિચાર કરીએ. બુદ્ધ પછીના કાળમાં ભારતીય ઇતિહાસમાં અનેક નાગાર્જુના થયા છે,૪ તેમાંથી સુશ્રુતસંહિતાના પ્રતિસરકર્તા તે યા ? એ પ્રશ્ન ૧. વિશ્વામિત્રદ્યુતઃ શ્રીમાન્ સુશ્રુતઃ પરિવૃઇતિ । ૨. જુઓ ભાનુમતીસહિત સુશ્રુત સૂત્રસ્થાનના ઉપાદ્ધાત, પૃ. ૫. r ૩. શાહિદ્દોત્રસૃષિએ સુશ્રુતઃ પવૃિઘ્ધતિ। શાલિહેાત્રસહિતા ૪. જીએ કાષપસંહિતાના ઉપાદ્ધાત, પૃ. ૬૪, ટિ. ૬:
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy