SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ * ] આયુર્વેદના ઇતિહાસ હુધામય-હેડ્રોગ-હુદ્યોત—દ્રોગ શબ્દ ઋગ્વેદ (૧-૧૦-૧૧)માં મળે છે, અથવĆવૈદ (૧-૨૨-૧)માં હુદ્યોત અને (૫-૩૦-૯)માં હુઘામય શબ્દો મળે છે. દ્રોગ શબ્દ પાછળથી પણ પ્રચલિત છે. ટૂંકામાં વૈદિક સાહિત્યમાં આવેલા રાગવાચક શબ્દો જોતાં આયુર્વેદિક કાયચિકિત્સામાં વર્ણવેલા રાગેામાંના કેટલાક મોટા રાગોનાં નામો મળે છે; અને હજી વધારે શબ્દો, ઝીણવટથી શોધવામાં આવે તા, રાગવાચક નીકળી આવવાના સંભવ છે. નિટ્ટાન ! રાગા સાથી થાય છે એ વિશે ઊંડુ વિવરણ વેદમાં હાવાના સંભવ નથી, પણ ત્રિધાતુવાદની માન્યતાનું મૂળ વેદાં હોવાનું ઉપર કહ્યું જ છે. હવે આ ત્રણ ધાતુ—વાત, પિત્ત અને કક્—ની વિષમતામાંથી રાગા થાય છે એ કાયિક રાગેા માટેની આયુર્વેદિક માન્યતાનું ખીજ પણ વેદમાં મળે છે. અથર્વવેદમાં એક સ્થળે અબ્રજ, વાતજ અને શુષ્ક એમ ત્રણ પ્રકારના રાગ કહ્યો છે. આમાંથી વાતજ સ્પષ્ટ છે અને ઉપર વાતીકાર શબ્દ છે એના અર્થ પણ વાતકૃત રાગ લાગે છે. પણ અભ્રના અ ક રોગ અને શુના અ પિત્તવિકારજનિત રાગ સાયણાચાય કરે છે તે યથા હાય તે આયુર્વે`દિક સિદ્ધાન્ત આખાનું ખીજ આવી જાય. વળી, આયુર્વેદમાં સુશ્રુતે ચાર પ્રકારના વ્યાધિએ માન્યા છેઃ સ્વાભાવિક, આગન્તુક, કાયિક અને માનસ ( યુ. સૂ. ૧), પણ સ્વાભાવિક પ્રકારને ખાસ રોગરૂપ ગણવાની જરૂર નથી. વળી, ચરકે નિજ અને આગન્તુક એવા બે ભેદ જ પાડયા છે १. मुख शीर्षक्त्या उत कास एनं परुष्परुराविवेशा यो अस्य । यो अभ्रजा वातजा यश्च शुष्मो वनस्पतीन्सचतां पर्वतांश्च ॥ —મ. વૈ. ૧-૧૨-૩
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy