SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ] આયુર્વેદને ઈતિહાસ જાયાન્ય શબ્દના અર્થ માટે આયુર્વેદિક પંડિતમાં ઘણે મતભેદ છે. ઝીમર સાયણને અનુસરે છે. ઝીમરની વિરુદ્ધ લુમફીડે જાયા નો અર્થ ફિરંગ-સીફિલિસ કર્યો છે અને પંડિતજી એને અનુસરે છે. રેથે નજલે (gout) અર્થ કર્યો છે, જ્યારે હીટની કયો રોગ વિવક્ષિત છે એ નક્કી જણાતું નથી એમ કહે છે. મેફડનલ અને કીથ પોતાનો મત આપતા જ નથી.૧ પક્ષીનાવાચઃ પતિ (સ. ૭-૭૬-૪) એ મંત્રનું પંડિતજીએ કરેલું વ્યાખ્યાન વાંચ્યા પછી પણ એ રોગ સીફિલિસ હોય એમ ખાતરી થતી નથી; એટલું જ નહિ, પણ સુશ્રોક્ત ઉપદંશ પણ આધુનિક સીફિલિસ–ફિરંગ હોય એમ લાગતું નથી. ઉપદંશના વર્ણનમાં અતિમૈથુનાદિ કારણથી પુરુષની જનનેંદ્રિય ઉપર ચાઠાં અને સોજો થવાનું વર્ણન સુશ્રુતમાં મળે છે, એટલી વાત સાચી; પણ એ ચાઠાંને ફિરંગજન્ય (સીફિલિટિક) ગણવા જેવો પુરાવો નથી દેખાતો. કેટલાક વળી કુષ્ઠના વર્ણનમાં ફિરંગનાં કેટલાંક લક્ષણો જુએ છે; પણ ગિરીન્દ્રનાથ મુખોપાધ્યાય બી. એ., એમ. ડી., એફ. એ. એસ. બી. પેઠે મને પણ “ભાવપ્રકાશના સમય પહેલાં આ દેશમાં સીફિલિસ થતું હોય અથવા એ રોગનાં લક્ષણો કેઈએ બરાબર જોયાં હેય એ વિશે શંકા રહે છે. અશ – વાજસનેયી સંહિતામાં એક જ મંત્રમાં બલાસ, અર્શ, ઉપચિત અને પાકા એ રીતે ચાર ગેને સાથે ઉલ્લેખ છે. આમાંથી અર્શ રાબ્દને તે અત્યારે પ્રચલિત અર્થ વેદમાં પણ વિવક્ષિત લાગે છે. ઉપસ્થિત એ અપચિત, અપચી ૧. “વેદિક ઈન્ડેકસ', ગં. ૧, પૃ. ૨૮૬. ૨. “હિસ્ટરી ઓફ ઈંડિયન મેડિસિન), ગં. ૧, પૃ. ૧૩૨ થી ૧૩૭ અને આયુર્વેદવિજ્ઞાન” પુ. ૨, પૃ. ૨૪૨ તથા ૫, ૧૦, પૃ. ૩૭૧,
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy