________________
કઈ સંસ્થા છેલ્લે જવાબ તે એ છે કે સેક વર્ષના ઇતિહાસનું રેગ્ય પાઠ્ય પુસ્તક લખતાં જેટલાં સાહિત્યને જોવાની ને વિચારવાની જરૂર પડે છે તેટલું સાહિત્ય સંશોધન (Research)ને કાર્ય અર્થે જેવું કે વિચારવું પડતું નથી એ અનુભવસિદ્ધ છે.
આ પુસ્તક વિદ્યાર્થીઓ માટે લખવામાં આવ્યું છે. આપણી યુનિવર્સિટિએ માધ્યમિક અભ્યાસક્રમની પરાકાષ્ટા-સ્કૂલ લીવિંગ પરીક્ષા માટે અત્યારે ઈગ્લેંડને ઈ. સ. ૧૪૮૫થી તે ઈ. સ. ૧૯૩૧ સુધીને ઈતિહાસ મૂક્યો છે. હવે ઈ. સ. ૧૪૮૫ પહેલાને ઇંગ્લંડનો ઈતિહાસ શાળાઓમાં ચોથા ધોરણોમાં એક વર્ષ સુધી શીખવાય છે; વળી ઇ. સ. ૧૪૮૫ પછીનો ઈંગ્લેડને ઇતિહાસ તે સાલની પહેલાંને વૃત્તાંત વાંચ્યા સિવાય બરાબર સમજી શકાય નહિ. આ કારણથી આ પુસ્તકનાં થોડાંએક પાનાંમાં ઈ. સ. ૧૪૮૫ પહેલાને ઈતિહાસ સરળતાથી સમજાવવામાં આવ્યું છે. ટયુડર રાજાઓના અમલ પછીને ઈતિહાસ સ્કૂલ લીવિંગ પરીક્ષામાં મૂકવામાં આવ્યું છે, તે ઉપરાંત કોલેજોમાં પણ અર્વાચીન યુગનો કેટલોક ઈતિહાસ શીખવાય છે. આ યુગને ઈતિહાસ વિદ્યાર્થીએ વધારે વિચારપૂર્વક જેવો જોઈએ. પુસ્તકમાં આ બાબતની ઉપયોગિતા સ્વીકારવામાં આવી છે ને લખાણુની પેજના પણ એ વિચાર ઉપર ઘડાઈ છે.
ઇંગ્લંડના ઈતિહાસનાં કેટલાંએક પારિભાષિકે અહિં મૂળમાં જ મેં આપ્યાં છે, તેમનું બેડોળ “ગુજરાતી” કરવાની ધૃષ્ટતા મેં કરી નથી, કારણ કે તેની જરૂર જ નહતી.
. સ. ૧૪૮૫ પછીને ઇતિહાસ લખતાં કઈ કઈ પ્રસંગે અંગ્રેજી સાહિત્યમાંથી ને ઈતિહાસનાં પુસ્તકમાંથી અનુકૂળ પ્રસાદીએ ઉમેરવામાં આવી છે, પણ ઈ. સ. ૧૪૮૫ પહેલાના ઈતિહાસ માટે નહિ; કારણ કે ચોથાં ઘેરણાનાં બાળકો માટે તે યોગ્ય કહેવાય નહિ.