SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ શર શ્રીયદુવશપ્રકાશ. [પ્રથમયખંડ દરગાહથી બાર નિકળી સામે આવી દરગાહમાં આવવાની જામશ્રીને ના પાડી, જામ રાવળજીએ તેનું કારણ પુછતાં, મુજાવરે જણાવ્યુ કે પીર દાવલશાકા હુકમ હ્રય કે તું તુમેરી કુળદેવીકે પાસ કશું નહિ ગયે? અખતા તુંમ કામઇમાતાકે શરણુ જાવ. એર માફી માગ કે સર્ચ બાત સુનાવ. એહીજ અછા કરેગી.” તે સાંભળી રાવળજામે મુજાવરને પુછ્યુ કે તે હવે મને કયાં મળે?’” મુજાવરે કહ્યું ૐ શામપર માધાપર કે બીચમે જો વકી નીચે દીદાર હુવા એહી ઠીકળૅ જાવ.” તેથી રાવળજામ તુરતજ પાછા વળ્યા, અને તે વડલા નીચે આવતાં, માતાજીનાં દર્શન થયાં. એ ચડકા રૂપ જોગમાયાને જોતાંજ રાવળજામ ધાડેથી ઉતરી હાથમાં પાઘડી લઇ સામા ચાલી વિનતી કરવા લાગ્યા કે હું માતાજી! મને ખીજાએ (દાંદી તુ બેલે) ભુલાવ્યે છે હવે ક્ષમા કરો.” માતાજી કહે હું જાણું છું માપ તને મારા વિરોધીએ કૃમતિ દીધી, તેનું ફળ તેને મળી જશે. પણ મેં તને ફરી પુછ્યુ', છતાં બીજી વખત પણ તેં ‘ભાભી’ કહી એટલીજ તારી કમુર છે તેથી હું તને માફી આપુ છું. હવે તું મારૂં આટલું. છેલ્લું વચન માનજે કે શ્મા જ્ગ્યાએ હું અદૃશ્ય થાઉ છું માટે અહિં મારા નામની જગ્યા બધાવજે, તથા મારા પીપળીયા ગામે (હાલ પણ કામનું પીપળીયું કહેવાય છે) જ્યાં તારી છાવણી હતી, ત્યાં પણ જગ્યા બધાવજે. અને જે મેડીમાં મે દર્શન દીધા ત્યાં મારૂ સ્થાપન કરજે. એટલુ જ હું પણ તારી મેડીની ઉત્તરદીશાની મારી સદાને માટે મધ રાખજે કારણ કે રણની ભુમિ સપાટ હવાથી હિં મારૂ સ્થાન (ઝુડ) દેખાશે. વળી આ જગ્યા તરફ આવતી નવરાત્રી સુધી તું કદી આવીશ નહિં આટલું વચન જરૂર પાળજે નહિ' તા તેનું પરીણામ વીપરીત આવતાં, તારો કાળ થશે '” એમ કહી માતાજી અદૃશ્ય થયાં. અને જામવળજીના તરમાં ભય અને વિદ્યુળતા હતી તે તુરતજ શાંત થઇ ગઈ. જામરાવળે જામનગરમાં આવી જે મેડીમાં માતાજીનુ દર્શન થયું હતું. "ત્યાં તેમનું સ્થાપન કર્યુ. અને ઉપરની બન્ને જગ્યાએ ( પીપળીયામાં તથા માધાપર-શામપુર વચ્ચેના વડે ) પણ માતાજીના ઓરડાઓ ચણાવી સ્થાપના કરાવી. હાલ તે બન્ને જગ્યાએ કામમાતાના ઝુંડના નામે પ્રસિદ્ધ છે' ત્યાં માનતાઓ પણ ઘણી આવે છે. આસપાસ વ્રુક્ષાના ઝુંડમાંથી (ભાવળનું) દાતણ પણ કાઇ કાતું નથી. ગારાંબડીના ઢાંઢી તુ ખેલ ચરણને માતાજીના શ્રાપથી ખીજેજ દહાડે
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy