SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) રાણીને કેશ કલાપ ભીને હોવાથી તેમાંના પાણીના કઈ કઈ વખત ટીપાં કરતાં હતાં, પલંગના ઓશીકાની નજીકનાં ઝરૂખામાં એક સુંદર પક્ષી, બેડું બેઠું તે જોયા કરતું હતું. એટલાના વાળમાંથી નીતરતું પાણીનું બુંદ સફેત ચોખાના આકારનું તથા મેતીના જેવું વાળને છેડે જણાતાં તે પક્ષી તે લેવા નજીક જતું ત્યાં તો તે ટીપું (બુંદ) નીચે પડતાં અદશ્ય થતું, ફરી થોડે વખત જતાં પાછું ત્યાં બુંદ જામતું (ટીપું બનતું) તેને તે પક્ષી જ્યાં ફરી લેવા જતું ત્યાં તે ટીપું પણ ભેય પડી નષ્ટ થતું, પાછું તે વાટ જોઇને ઝરૂખામાં કેશના સામું જોઈ બેસતું આમ ઘણે વખત તે પક્ષી એ મોતી જાણું લેવા મહેનત કરી પણ ટીપું નીચે પડી અદૃશ્ય થતાં તે ઝઝકાય જતું. એ બનાવ જામ રાવળજીએ ત્યાં છુપાઇને ઘણે વખત જ છેવટ પક્ષી નીરાશ થઈ ઉડી ગયું, એ મનોહર પક્ષીની સુંદરતાએ તથા મોતી કે એક સમજી પાણીને લેવા જતાં તે નષ્ટ થતાં પક્ષી નીરાશ થઈને ઝઝકાય જતું ને ફરી આશાવાદી થઈ વાટ જોઈ ઝરૂખામાં બેસતું તે આનંદદાયક બનાવે જામ રાવળજીને મહીત ર્યા, અને તે ચીનાર આખી રાત્રી નજરે તર્યો, પ્રભાત થતાં કચેરીમાં પધારી માત્ર નીચેની એકજ તુક બોલ્યા કે, “ઝઝક ઝઝક ઝઝકાય” કચેરીમાં કઈ અમીર ઉમરાવ કે કવિઓ વિગેરે આવતા તેને ઉપરનું જ વાક્ય કહેતા ભેજરાજાની વાત માફક જામ રાવળજી પણ કેઈ સામી બીજી કંઇપણ વાતચીત કરતા નહિ, માત્ર ઉપરનું જ વાક્ય બોલતા આવી વિચિત્ર સ્થિતિ જોઈ સહુ વિસ્મય પામ્યા. ઘણું શાસ્ત્રી પંડિતાએ સભામાં તે ઉપર વિચાર ચલાવ્યું પણ કેઈન સમજવામાં તે કારણ આવ્યું નહિં. કવિશ્વર ઇશરદાસજી તે વખતે જામનગરમાં ન હતા કંઈ કામ પ્રસંગે બહારગામ ગયા હતા. તે હકીકત ઉપર આવી ગઈ છે, પરંતુ બીજા ચારણ કવિઓએ ખુબ મગજ ચલાવી તક વિતક કર્યા પણ એ વાક્યની કઈ કવિ પુરતી કરી શકે નહિં. સભામાં બીજી કંઇ વાતચીત ચાલતી ન હોય અને જામ રાવળજી પણ બીજી કંઇ પણ વાત ઉપર લક્ષ આપતા નહિ માત્ર ઉપરની તુક વારંવાર જોયા કરતા, તેથી છેવટ જેશા વજીરે આગલે દહાડે આવેલા કવિ બળધા ગોધાને” ઉતારેથી બોલાવ્યો, તે કવિએ કચેરીમાં આવી હજુરશ્રીને સલામ કરી પરંતુ હજુરશ્રી તે એકજ લક્ષથી તે વાક્યની ધુન મચાવી રહ્યા હતા. તે કવિએ સાંભળી સરસ્વતિને આરાધી તેને લક્ષ લીધો. પછી જામ રાવળજી સન્મુખ નજીક જઈ પૂછયું કે, “અન્નદાત્તા છે, શું છે? જામશ્રી બોલ્યા કે. “ઝઝક ઝઝક ઝઝકાય તે સાંભળી તુરતજ કવિ બોલ્યા કે. છે તુજે છે तरुनि सेज तांडुल झरन, खंजन मोती खाय ॥ अल्प पदारथ जानके, झझक झझक झझकाय ॥ १ ॥ અર્થ-કઈ સ્ત્રી સેજમાં સુતેલી છે. અને તેના માથાના વાળમાંથી સફેત ચકખા કે મેતીના સરખા પાણીના બુંદ કરે છે. તેને કે “ખંજન પક્ષી” જેવું
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy