SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીયદુશપ્રકારા ( પ્રથમખંડ ) બાદશાહનું સન્માન પામી જામ લાખાજી જ્યારે કચ્છ દેશમાં આવ્યા ત્યારે હુખાયની ગાદી ઉપર જામ હમીરજી હતા તેનાથી તે સન્માન સહન થયું નહિં તેથી નીચે મુજખ્ખ યુક્તિ રચી. ર || વુડ્ડા || इनाम ले घर आवीया, हुवो सखेध हमीर | तमाचसों मत बांधीयो, वधवो लखपत वीर ॥ १ ॥ તમાચી દેદાનું રાજ્ય આમરણમાં હતુ અને તે ચાવીશી બાદશાહે જામલાખાજીને આપી હતી, તેથી તમાચી દેઢા ઉપર હુમીરજીએ પત્ર લખી સુચના કરી કે જ્યારે તમારા તરફ જામલાખા આમરણ ચાવીશીના સીમાડાની ચાખ કરવા આવે ત્યારે જરૂર દગાથી તેને મારી નાખવા ઉપરના ખબર મળતાં દેઢા વિગેરે અન્ય ગીરાશીયાઓના મનમાં એમ થયુ કે “પેાતાનાપર પરદેશી રાજ્ય હુકમ ચલાવે તે ઠીક નહિં એમ વિચારી હમીરજીના મતમાં સહુ મળતા થયા. અને એક બીજાના ફાલ લઇ એવા ઠરાવ કર્યો કે “એ કામ પૂર્ણ થાય ત્યારેજ જાહેરમાં આવવા દેલું. “એવા ઠરાવ કરી દગો ગોઠવી રાખ્યા હતા. કેટલાક સમય વિત્યા પછી જામલાખાજી અમદાવાદ જવાના હૈાવાથી પાતાના યુવરાજ કુમારશ્રી રાવળજી (કે જેઓ ઉમરમાં ઘણાજ મેાટા હતા, તે)ને ખેલાવી પેાતાના હાથથીજ ખારાની ગાદી સુપરત કરી. માર સીક્કો આપી પાતે કેટલીક જ સાથે અમદાવાદ ગયા ત્યાં કેટલાક વખત રહી પાછા ફરતાં આમરણ કુનડના ગામેાના સીમાડાની ચાખ કરવા પાતાના પરગણામાં રહ્યા. અને પોતાને મળેલાં પરગણાના ગામાના પ્રદેરાનું નામ પિતામહુ હાલાજીનું નામ કાયમ રાખવા ‘હાલાવાડ પાડયુ કે જે પ્રદેશ પાછળથી ટુંકા રૂપમાં હાલાર” કહેવાવા લાગ્યો. જામ લાખાજીએ ત્યાં કેટલેક વખત મુકામ રાખી સીમાડાઓ નક્કી કર્યાં તેઓના પ્રચંડ સૈન્ય બળ આગળ દેદા તમાચી વિગેરેની હીંમત ચાલી નહીં, પરંતુ જ્યારે તેઓ કચ્છદેશ તરફ રવાના થયા ત્યારે તેમના પાછળ છુપીરીતે દાતમાચીએ પ્રયાણ કર્યુ. છેક કચ્છમાં હુબાય ડુંગર નજીક સ°ઘારાની વાંઢ પડીહતી ત્યાં તેમના અતિ આગ્રહુથી જામશ્રી લાખાજી ત્યાં રાત્રિ રહ્યા રાત્રે ત્યાં સહુ જમી રમી આનંદ ઉત્સવ કરી સુતા. દેદો તમાચી તા તકની રાહ જોતા હતા, અને હવે જો વીલંબ કરીશ તા માત્ર એકજ મજલ પછી તેઓ તેની રાજધાનીમાં સહી સલામત પહોંચીજો, આમ ધારી આ રાત્રિ વીત્યા પછી પેવેશે બહુજ ચાલાકી વાપરી જામલાખાજીના તજીમાં ગયા, ત્યાં જામલાખાજીને ભરનિંદ્રામાં સુતેલા જોઇ બરોબર સમય છે તેમ જાણી તલવારને એકજ ઝાટકે જામલાખાનાં પ્રાણ લીધાં. ઉપરના ખબર દેદાતમાચીએ જાસુસ ભરફત જામહમીરજી ઉપર લખી મોકલ્યા કે સદાને માટેની આડખીલીના અંત આણ્યા છે” એ ખબર જાણી
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy