________________
રે
ખુમારીના પાઠે
“ તમારી શાહુકારી જે તમને નડી છે, તમારી આંખમાં ખુમારી આવવા દા ને ન્યાયને ખાતર અને અન્યાયની સામે લડતાં શીખેા.”
ત્રરચના ’વાળા પ્રકરણમાં આપણે જોઈ ગયા કે શ્રી. વલ્લભભાઈ લશ્કરી છાવણીએ રચવાની સૂચના રામબાણ છ્યા પછીના પેાતાના પહેલા જ ભાષણમાં કરી ચૂક્યા હતા. ખીજા ભાષણેામાં આ સૂચનામાં વધારે વીગતા તે પૂરતા જતા હતા. મહિનાની આખરે તે। આ સૂચનાને અમલ . સરસ થઈ રહ્યો હતેા એમ સૌ કાઈ જોઈ શકતું હતું. ખમણી વિભાગને કિલ્લા દરબારસાહેબ પાસે હતા એ આપણે જોઈ ગયા. એ વિભાગનાં ૧૫ ગામેાના લેાકેા એકઠા થયા હતા. ભાઈ ગારધનદાસ ચાખાવાળાએ તે વખતે વાંચેલું નિવેદન, ખીજા બધા વિભાગમાં પણ એ જ પ્રકારની તાલીમ અને શસ્ત કેવી રીતે જળવાતી હતી, અને સરદારને માટે કેવી રીતે ખબરેા તૈયાર રખાતી હતી એ બતાવવાને માટે, કઈક ટુંકાવીને, અહીં આપું છું. તંત્રરચના કેટલી સફળ થઈ હતી, સરદારને કેવા સેવાનિષ્ટ સૈનિકા મળી રહ્યા હતા એ પણ એમાં જોઈ શકાય છેઃ
“ અમારા વિભાગમાં કુલ સત્તર ગામે છે. તેમાં એ ગામે મિયાવાડી અને કલસાડ ઊજડ છે, એટલે વસ્તીવાળાં પંદર ગામ છે. આજ આપની સમક્ષ એ પદરે ગામના લોકો ભેગા થયા છે. એ પદર ગામેા નીચે
પ્રમાણે છે:
ખામણી, કડાદ, અકાટી, સિંગાદ, હરિપરા, મંગરોળિયા, રાજપરા, મેરી, ભામૈયા, આરગામ, મસાડ, નસુરા, સમથાણુ, નવાણી અને
૫૯